SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.३७ ૨૮૧ તેમ વ્યાખ્યા કરી લઇશું. જેથી અવયવપક્ષે એક અવયવ બેને ન સંભવે. આથી ‘તે કોનો અવયવ છે ?’ આવો સંદેહ થવાથી વ્યાખ્યાના આધારે નિશ્ચય થઇ જાય. અનવયવ (અનેકાંત) પક્ષે આનંતર્ય (નજીકપણું) આગળ-પાછળ બન્ને બાજુ હોવામાં વિરોધ આવતો ન હોવાથી ફળીયો આમ ભેગા પાઠમાં દોષ આવતો હોવાથી જુદો જ પાઠ કરવો પડે. અથવા જુદો પાઠ કરવાની જરૂર નથી. કેમકે આચાર્ય (સૂત્રકાર) પ્રયોગના જ્ઞાતા હોય છે. તેથી તે તે પ્રયોગને જોઇને તેઓ પોતે જ અનુબંધને જોડે છે. અર્થાત્ પ્રયોગમાં વૃદ્ધિ થઇ હોય તો સ્ કે ક્ અનુબંધ જોડે છે. ગુણ-વૃદ્ધિ ન થઇ હોય તો ૢ કે ૐ અનુબંધ જોડે છે. આત્મનેપદ પ્રયોગ થયો હોય તો ધાતુને રૂ કે ફ્ અનુબંધ જોડે છે વિગેરે. આમ પણ આ જ વાત વ્યાજબી છે કે પ્રયોગના નિમિત્તે અનુબંધ થતા હોય છે, અનુબંધના નિમિત્તે પ્રયોગ થતા હોય છે એવું નહીં. તો પ્રસ્તુતમાં આચાર્યને જ અંશવાળા પ્રયોગો જોઇને ખબર પડી જાય કે ફર (ગ્) પ્રત્યય ત્િ છે અને થ અંશવાળા પ્રયોગ જોઇને સમજાઇ જાય કે ચ (વસ્) પ્રત્યય ખિત્ નથી. શંકા ઃ- આચાર્ય ભલે પ્રયોગના જ્ઞાતા હોય, પરંતુ શિષ્યો તેવા ન હોવાથી તેમને શી રીતે ખબર પડે કે ફળીયસ્ પૈકીનો કયો પ્રત્યય ખિતા છે ? અને કયો પ્રત્યય ખિત્ નથી ? = સમાધાન ઃ- આચાર્યની સૂત્ર અને તેની વૃત્તિ વિગેરેની રચના રૂપ પ્રવૃત્તિથી શિષ્યોને ખબર પડી જાય કે કયો પ્રત્યય ખિત્ છે અને કયો પ્રત્યય શિત્ નથી વિગેરે. શંકા :- અનુબંધને વિશે એકાંત (અવયવ) અને અનેકાંત (અનવયવ) બે પક્ષ કહ્યા, પરંતુ આ બેમાંથી કયો પક્ષ વ્યાજબી છે ? સમાધાન :- એકાંતપક્ષ વધુ સારો છે. કેમકે આ પક્ષમાં હેતુ આપ્યો છે. જે પક્ષ સહેતુક હોય તે જ વ્યાજબી કહેવાય(A). શંકા ઃ- પૂર્વે આ ચર્ચામાં એકાંતપક્ષે સમાન સ્વરૂપ હોવાથી ૪ પ્રત્યયના વિષયમાં વિકલ્પે અગ્ ની પ્રાપ્તિ થવી વિગેરે ત્રણ દોષ આપેલા. તેથી આ પક્ષને વ્યાજબી શી રીતે કહેવાય ? (A) આની આગળ બૃ.ન્યાસમાં ‘તથા ‘મેલો વા મિત્ ૪.રૂ.૮૮' ... નાત્િ' પંક્તિ બતાવી છે. જેનો અર્થ 'મેડો વા મિત્ ૪.રૂ.૮૮' સૂત્રમાં મેક્ ના ક્ અનુબંધને જોઇને તે સંધ્યક્ષરાન્ત ન ગણાવાથી 'આત્ સન્ધ્યક્ષરસ્થ ૪.૨.' સૂત્રથી તેના ર્ નો આ આદેશ નથી કર્યો' આવો થાય. પરંતુ આ વાત અહીં મેળ પડે એવી નથી. કેમકે અત્યારે એકાંતપક્ષ વ્યાજબી છે તેની વાત ચાલે છે. તેથી આ વાત એકાંતપક્ષ મુજબ કરવાની રહે અને આગળ એકાંતપક્ષે ‘અસન્ધ્યક્ષરાન્તત્ત્વમવિ નાનુનન્યતં મતિ' ન્યાય બતાવાશે, જેથી મેક્ સંધ્યક્ષરાન્ત ગણાવાથી તેના ૫ નો આ આદેશ પ્રાપ્ત છે. છતાં વિદ્વાનો આ પંક્તિને સંગત કરવા પ્રયત્ન કરે. મ.ભાષ્યમાં આ પંક્તિ નથી અને તેની આગળ-પાછળની પંક્તિ જોવા મળે છે. જુઓ ‘પ.પૂ. ૧.રૂ.૬’ મ.ભાષ્ય.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy