SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.१७ ૧૨૫ જવાબ:- વાયુથી ઉદર (પેટ) હણાયે છતે વિવાર વિગેરે પ્રયત્નો પેદા થાય છે, આમ ઉદર એ આસથી બહારનું સ્થાન હોવાથી તેને બાહ્યપ્રયત્ન કહેવાય છે. જ્યારે સ્પષ્ટતા વિગેરે પ્રયત્નો વાયુ કંઠાદિ સ્થાનમાં અભિઘાત પામે છતે પેદા થાય છે (કંઠાદિએ આ અંતર્ગત છે, તેથી તેને આંતરપ્રયત્ન કહેવાય છે. તથા આપિશલિ મુનિ' એ પોતે રચેલ શિક્ષામાં (= વર્ગોત્પત્તિના પ્રતિપાદક શાસ્ત્રમાં) “નાભિપ્રદેશમાંથી પ્રયત્ન વડે પ્રેરાયેલો પ્રાણ નામનો વાયુ ઉપરની દિશામાં આક્રમણ કરાતો થકો ઉર વિગેરે સ્થાનોમાંથી અન્યતમ A) (ગમે તે એક) સ્થાનમાં પ્રયત્ન વડે ધારી રખાય છે, ત્યારે ધારી રખાયેલો તે વાયુ સ્થાન સાથે અભિઘાત (સંયોગ વિશેષ) કરે છે. તે સ્થાનાભિઘાત થવાથી આકાશમાં ધ્વનિ પેદા થાય છે, તે વર્ગકૃતિ છે. તે વર્ણના સ્વરૂપનો લાભ છે.” જ્યારે વર્ણધ્વનિ પેદા થતો હોય ત્યારે જો સ્થાન, કરણ અને પ્રયત્ન પરસ્પર સ્પર્શ કરે તે સૃષ્ટતા પ્રયત્ન છે. એ ત્રણેય પરસ્પર થોડો સ્પર્શ કરે તે વસ્કૃષ્ટતા પ્રયત્ન છે. નજીક આવી જઈને સ્પર્શ કરે તે સંવૃતતા પ્રયત્ન છે અને દૂરથી સ્પર્શે તે વિવૃતતા પ્રયત્ન છે. આ ચારેય અંતઃપ્રયત્નો (અંદર થનારા પ્રયત્નો) અર્થાત્ આસ્યપ્રયત્નો છે. હવે ૧૧બાહ્યપ્રયત્નોની ઉત્પત્તિપ્રક્રિયા બતાવે છે. તેમાં પ્રાણવાયુ ઉપરની દિશામાં જતો મૂર્ધન (મસ્તક)ને વિશે પ્રતિઘાત પામી (= ટકરાઈને) ત્યાંથી પાછો વળી ઉદર (કોઠા) સાથે અથડાય છે. તે વખતે કંઠનું બિલ વિવૃત (પહોળું) થવાથી વિવાર” નામનો પ્રયત્ન પેદા થાય છે. ત્યારે કંઠનું બિલ જો સંવૃત થાય (સંકોચાય) તો સંવાર” નામનો પ્રયત્ન પેદા થાય છે. વાયુ કોઠા સાથે અથડાય છતે જ્યારે કંઠનું બિલ પહોળું થાય ત્યારે શ્વાસ) નામનો પ્રયત્ન થાય છે અને બિલ સાંકડું થાય ત્યારે ‘નાદ'C) નામનો પ્રયત્ન પેદા થાય છે. શ્વાસ અને નાદએ બંનેને કેટલાક આચાર્યો અનુપ્રદાન” કહે છે. ઔદવજી વૈયાકરણ કહે છે કે – “ઘંટ વિગેરેના રણકારની જેમ વર્ણનો રણકાર થવો તેને અનુપ્રદાન કહેવાય.” હવે જ્યારે સ્થાન અને કરણના અભિઘાત (સંયોગ) થી પેદા થયેલા ધ્વનિમાંનાદનું અનુપ્રદાન (= પાછળથી રણકારની જેમ જોડાણ) કરવામાં આવે ત્યારે નાદસ્વરૂપ ધ્વનિના સંસર્ગથી ધોષી નામનો પ્રયત્ન પેદા થાય છે અને તે ધ્વનિમાં જ્યારે સ્થાન અને કરણના અભિઘાતથી ઉત્પન્ન થયેલા ધ્વનિમાં શ્વાસનું અનુપ્રદાન થાય ત્યારે શ્વાસરૂપ (A) આપિશલિની પંક્તિમાં બતાવેલો માતામિપ્રયોગમતાંતર મુજબ સાધુયોગ સમજવો. કેમકે આવ્યાકરણમાં સર્વાદિ ગણપાઠમાં સીધો રચતર શબ્દ મૂક્યો છે, માટે તમ પ્રત્યયાત શબ્દને સર્વાદિત્વનો નિષેધ થાય છે. તેથી આ વ્યાકરણ મુજબ મતને પ્રયોગ થાય. ‘ડતર પ્રહનેવ સિડર તરપ્રહi તમપ્રત્યયાન્તિચાડચાતી सर्वादित्वनिवृत्त्यर्थम्-अन्यतमाय, अन्यतमं वस्त्रम्, अन्यतमः...' (B) મુહનસિકવેનિમનામ્યાં શ્વાસનામવો વાયુ. નાયતા (મ.વ. .૭) (C) સંવૃત વિન્ટેડવ્ય: જો નાડા (.ફૂ. ૨.૨૨ નિ.. ચીસ) (D) અનુ (= પછાત) પ્રવર્તેન રીતે તિ મનુમાન”, તસ્યવાર્થભાદ-અનુસ્વાનમતિ (મા.યો. .૪.૧૭)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy