SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું સૂત્ર પંચસૂત્ર ચાર શરણ સ્વીકાર આદિ ત્રણ ઉપાયોથી તેવા પ્રકારના સ્વભાવથી સાધ્ય વ્યાધિની જેમ તથાભવ્યત્વ પકાવાય છે=તથાભવ્યત્વનો પરિપાક કરાય છે. ૨૨ હમણાં કહ્યું તેમ પ્રસ્તુત તત્ત્વની (=અનર્થોથી રક્ષણ, અશુભ કર્મોના અનુબંધનો નાશ અને શુભ પરિણામ એ ત્રણ તત્ત્વની) સિદ્ધિ થતી હોવાથી મોક્ષાર્થી ભવ્ય જીવે હવે કહેવાશે તે સદા સુપ્રણિધાન પૂર્વક કરવું જોઇએ. સુપ્રણિધાનપૂર્વક કરવું જોઇએ એનો ભાવ એ છે કે અમુક કાળે જ કરવું એવો નિયમ નથી, કિંતુ જ્યારે જ્યારે કરવું હોય ત્યારે ત્યારે સુપ્રણિધાનપૂર્વક કરવું જોઇએ. કારણ કે ફળની સિદ્ધિમાં સુપ્રણિધાન મુખ્ય અંગ છે. કહ્યું છે કે ‘‘પ્રણિધાનપૂર્વક કરાયેલી ક્રિયા તીવ્રવિપાકવાળી કહી છે. પ્રણિધાનથી કરાયેલી ક્રિયામાં સાનુબંધનો નિયમ છે, અર્થાત્ પ્રણિધાનપૂર્વક કરાયેલી ક્રિયા અનુબંધસહિત થાય છે–અનેક ભવો સુધી તેની પરંપરા ચાલે છે. તથા પ્રણિધાનપૂર્વક કરાયેલી ક્રિયામાં શુભનો અંશ હોય છે. આથી પરમાર્થથી પ્રણિધાન જ ક્રિયા છે.’’ ૫. અરિહંતના શરણનો સ્વીકાર (આ પ્રમાણે આ સ્વીકારવું જોઇએ. આથી ગ્રંથકાર કહે છે કે તીવ્રરાગ આદિના સંવેદનરૂપ સંકલેશ થાય ત્યારે વારંવાર, અર્થાત્ અરતિ ઉત્પન્ન થાય ત્યારે વારંવાર, અને સંકલેશ ન હોય ત્યારે, અર્થાત્ સ્વાભાવિક રીતે કાળ પસાર થતો હોય ત્યારે, (સવાર-બપોર-સાંજ એમ) ત્રણવાર આ ચાર શરણ સ્વીકાર વગેરે કરવું જોઇએ. કોઇ વસ્તુ કે કોઇ વ્યક્તિ ઉપર અતિશય રાગ થાય, એથી એ વસ્તુ ન મળે તો અતિ ઉત્પન્ન થાય. ઇષ્ટ વસ્તુનો વિયોગ, અતિશય દ્વેષ, અતિશય ઇર્ષ્યા વગેરેના કારણે અરતિ ઉત્પન્ન થાય. કોઇ પણ કારણથી અરતિ ઉત્પન્ન થાય ત્યારે વારંવાર ચાર શરણનો સ્વીકાર વગેરે કરવું જોઇએ. એના પ્રભાવથી અરતિ દૂર થાય અને પ્રસન્નતાનો અનુભવ થાય.) यत्कर्तव्यं तदाह જે કરવું જોઇએ તે કહે છે— जावज्जीवं मे भगवंतो परमतिलोगणाहा, ૧. ચાર શરણ સ્વીકાર આદિ ત્રણ ઉપાયોથી પરિપાક થાય તેવો તથાભવ્યત્વનો સ્વભાવ છે. ૨. સુપ્રણિધાન એટલે મન-વચન-કાયાની એકાગ્રતા. અથવા પ્રણિધાન એટલે ચિત્તનો ઉપયોગ. પ્રાિધાન ચિત્તચોપયોગ: પંચાશક ૩-૨૨.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy