SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૩૩ પાંચમું સૂત્ર ન રહે. કારણ કે આત્મા દિદક્ષાથી ભિન્ન નથી. અન્યથા (દિદલાની નિવૃત્તિ થવા છતાં આત્મા રહેતો હોય તો) દિક્ષાનો આત્માની સાથે સંબંધ ન રહેવાથી એ દિક્ષા આત્માની નથી. જેમ આત્માથી અભિન્ન હોવા છતાં ભવ્યત્વની નિવૃત્તિ થાય છે તેમ દિદશાની નિવૃત્તિ થવામાં કોઇ દોષ નથી એ શંકાને દૂર કરવા માટે કહે છે-પ્રમાણથી દિક્ષા ભવ્યત્વના જેવી નથી. કારણ કે ભવ્યત્વ કેવલ (સર્વથા શુદ્ધ) જીવરૂપ નથી, જ્યારે દિક્ષા કેવલ જીવરૂપ છે. આથી મોક્ષમાં પણ દિદક્ષા રહેશે. ભવ્યત્વ તો અનાદિથી બદ્ધ અશુદ્ધ આત્માની અવસ્થા છે. તેથી આત્મા અબદ્ધ શુદ્ધ બની ગયા પછી એમાં એ શી રીતે રહે ? ન જ રહે. જ્યારે દિદક્ષા શુદ્ધ-અબદ્ધ આત્માની અવસ્થા છે. આત્માની એવી અવસ્થા કેવલ્યા પછી પણ રહે છે. તેથી દિદક્ષા કેવલ્યાવસ્થામાં (મોક્ષમાં) પણ રહે. પ્રશ્ન- બંધ નથી ત્યારે એકલી દિક્ષા છે. પણ ભાવયોગની અપેક્ષાએ (મહદ્ આદિનો યોગ થશે ત્યારે મહદ્ આદિ પણ હોવાથી એકલી દિક્ષા નથી એ અપેક્ષાએ) દિદક્ષા કેવલ જીવ સ્વરૂપ નથી. આથી ભાવયોગની અપેક્ષાએ દિક્ષા ભવ્યત્વ સમાન છે. ઉત્તર– જે વખતે મહદ્ આદિનો યોગ થયો નથી તે વખતે દિદક્ષા એકલી હોય છે. જ્યારે મહદ્ આદિનો યોગ થાય છે ત્યારે તેમાં કોઇ વિશેષતા આવતી નથી. દિક્ષા સદા એકસરખી હોવાના કારણે (ચૈતન્ય ગુણની જેમ) સ્વભાવ સિદ્ધ (=સહજ) હોવાથી મહદ્ આદિનો વિયોગ થાય ત્યારે પણ દિદક્ષાની વિદ્યમાનતાની આપત્તિ આવે છે. પ્રશ્ન–મહ આદિનો સંયોગ થયા પછી વિકારનું દર્શન થતાં કેવલ્ય અવસ્થામાં નિવૃત્ત થવાનો દિદક્ષાને સ્વભાવ છે. આથી મહદ્ આદિનો વિયોગ થાય ત્યારે પણ દિક્ષાની વિદ્યમાનતાની આપત્તિ નહિ રહે. ઉત્તર– દિક્ષાના આવા (અમુક સમય સુધી રહે અને પછી નિવૃત્ત થાય તેવા) સ્વભાવની કલ્પના અપ્રામાણિક છે. મહદ્ વગેરે વિકારો થયા પહેલાંની અનાદિ શુદ્ધ કેવલ્યાવસ્થા અને વિકારનાં દર્શન પછી વિવેકખ્યાતિથી થતી કેવલ્યાવસ્થા એ બંને શુદ્ધ અવસ્થામાં કાંઇ જ ફરક નથી. તેમ છતાં એક ( પૂર્વની) અવસ્થામાં દિક્ષા રહે અને બીજી (પછીની) અવસ્થામાં દિક્ષા ન રહે એમ
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy