SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૩૨ પાંચમું સૂત્ર पेत्य दोषमाह-न निवृत्तौ दिदृक्षाया आत्मनः स्थानं, तदव्यतिरेकात् । तथा चाह-नान्यथा तस्यैषा आत्मनो दिक्षायोगात् । तदव्यतिरेकेऽपि भव्यत्वस्येव तन्निवृत्तौ दोषाभाव इत्याशङ्कापोहायाह-न भव्यत्वतुल्या न्यायेन दिक्षा । कुतः? इत्याह-न केवलजीवरूपमेतद् भव्यत्वम् । दिक्षा तु केवलजीवरूपेत्यर्थः । न भावियोगापेक्षया महदादिभावे तदा केवलत्वेन तुल्यत्वं दिक्षायाः भव्यत्वेन । अत्र युक्तिमाह-तदा केवलत्वेन भावियोगाभावे सदा अविशेषात् तथा सांसिद्धिकत्वेन तदूर्ध्वमपि दिदृक्षापत्तिरिति हृदयम् । एवं स्वभावैवेयं दिक्षा या महदादिभावाद्विकारदर्शने केवलावस्थायां निवर्तते, इत्येतदाशब्याह-तथा स्वभावकल्पनं कैवल्याविशेषे प्रक्रमाद्दिक्षाया भावाभावस्वभावकल्पनमप्रमाणमेव । आत्मनस्तद्भेदापत्तेः प्रकृतेः पुरुषाधिकत्वेन तद्भावापत्त्येति गर्भः । अत एवाहएष एव दोषः प्रमाणाभावलक्षणः परिकल्पितायां दिक्षायां अभ्युपगम्यमानायां तथा हि परिकल्पिता न किञ्चित्, कथं तत्र प्रमाणवृत्तिरिति । સૂત્ર-ટીકાર્થ– પહેલાં આત્મા અબદ્ધ હતો, પણ દિદશાથી (=સત્ત્વ, રજસ અને તમસ એ ત્રિગુણાત્મક પ્રકૃતિના વિકારને જોવાની ઇચ્છાથી) બંધાયો. મુક્ત થયા પછી દિદક્ષા ન હોવાથી ફરી બંધાતો નથી. આમ માનવામાં કોઇ દોષ ન હોવાથી બંધ આદિમાન જ હો એવી શંકાને દૂર કરવા માટે ગ્રંથકાર કહે છે-ઇંદ્રિય રહિતને દિદક્ષા ન હોય. ઇંદ્રિયો બદ્ધ આત્માને હોય. અબદ્ધ આત્મા ઇંદ્રિય રહિત હોય છે. તથા દિદક્ષા એટલે જોવાની ઇચ્છા. જે વસ્તુ અદૃષ્ટ હોય, એટલે કે ક્યારે ય જાણી ન હોય, સાંભળી ન હોય તેવી હોય, તે વસ્તુ સંબંધી દિક્ષા ન થાય. દિક્ષા સહજ છે=આત્માની સાથે જ થયેલી છે, અર્થાત્ જ્યારથી આત્મા છે ત્યારથી જ દિદક્ષા છે એવી આશંકાનું નિરાકરણ કરવા માટે કહે છે-જો દિદક્ષાને સહજ માનવામાં આવે તો તેની ચૈતન્યની જેમ કદી નિવૃત્તિ ન થાય. અર્થાત્ જેમ આત્માનો ચૈતન્ય ગુણ સહજ હોવાથી કદી આત્માથી જુદો ન થાય. અથવા દિદક્ષાની નિવૃત્તિ થાઓ એમ સ્વીકારીને દોષને કહે છે-હવે જો દિદલાની નિવૃત્તિ થાય તો આત્મા જ ૧. કર્મરહિત શુદ્ધ આત્માને પોડë વહુ એક હું ઘણા રૂપવાળો બનું એમ પ્રકૃતિના વિકારને જોવાની ઇચ્છા થવાથી મહદ્ વગેરે ચોવીસ તત્ત્વોનો સંયોગ થતાં તે સંસારી બને છે. પછી તત્ત્વજ્ઞાન (પુરુષ અને પ્રકૃતિના ભેદનું જ્ઞાન) થતાં આત્મા મુક્ત બને છે અને , દિક્ષા પણ રહેતી નથી. આવો સાંખ્યમત છે.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy