SearchBrowseAboutContactDonate
Page Preview
Page 907
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ વાળવાની કેશિષ કરી રહ્યા છે તેને તમને જોઈને કરૂણાભાવ ઉપજે છે તેથી સંસારથી છોડાવવા રાત દિવસ પ્રયત્ન કરે છે પણ તમને સંસારને મેહ છૂટતું નથી. ચિત્તમુનિએ સમજાવ્યું કે હે બ્રહ્મદત્ત! તું જે પાપકર્મો કરે છે તે ઉદયમાં આવશે ત્યારે તારા સ્વજને ભાગ પડાવશે નહિ. એ તે કર્મ કરનારને ભેગવવું પડશે. તું કહે છે ને કે મારે ઉદય, ઉચ્ચ, મધુ, કર્ક અને બ્રહ્મ એ પાંચ પ્રકારના દેએ બનાવેલા મહેલ છે. તે સિવાય બીજા મહેલનો તે પાર નથી તેમજ હાથી, ઘેડા, રથ, સૈન્ય નેકર-ચાકરો છે. ૬૪ હજાર તે રાણીઓ છે. છ ખંડનું મોટું વિશાળ રાજ્ય છે. મારા સુખને તે પાર નથી પણ સાંભળ, चिच्चा दुप्पथं च चउप्पयं च, खेत्तं गिहं धण धन्नं च सव्वं । सकम्म बीओ अवसे। पयाई, परंभवं सुंदरं पावगं वा ॥२४॥ - આ બધું કંઈ તારી સાથે આવનાર નથી. દુ૫યં એટલે બે પગવાળા મનુષ્ય એટલે કે તારી ચોસઠ હજાર રાણીઓ, પુત્ર પરિવાર, મિત્રો, કુટુંબીજને, નાકર ચાકરો વિગેરે અને ચઉ૫યં એટલે ચાર પગવાળા ઝુલતા હાથીઓ હસ્તિશાળામાં રહી જશે. હણુ હણુતા અ8 અશ્વશાળામાં રહી જશે, ગાય, ભેંસે વિગેરે પણ એના સ્થાનમાં રહી જશે. ખુલ્લી જમીન, ક્ષેત્ર, વિવિધ પ્રકારના મહેલો, સેનું–ચાંદી-હીરા-માણેકમતી આદિ જર ઝવેરાત તથા સેનામહોરો આદિ ધન તથા ઘઉં-ચોખા આદિ અનેક પ્રકારના ધાન્યના ભરેલા કઠારો, વધુમાં તારી છ ખંડની તમામ સંપત્તિ આ બધું છોડીને પરાધીન બનેલે જીવ પિતે કરેલા શુભાશુભ કામનુસાર સુંદર એટલે કે દેવગતિ સબંધી અને પાવગંધા એટલે કે નરકગતિ સંબંધી પરલેકને પ્રાપ્ત કરે છે, એટલે કે પિતે ઉપાર્જન કરેલ સઘળી સાંસારિક વસ્તુઓને પરિત્યાગ કરીને શુભાશુભ કર્માનુસાર સારી અગર ખરાબ ગતિને જીવ પ્રાપ્ત કરે છે તેની સાથે જે કઈ જનાર હોય તે તેના શભાશુભ કર્મો છે. બીજું કંઈ જીવની સાથે જતું નથી. સાધુપણામાં તો કેવળ શુભ કર્મો કરવાના છે. ત્યાં કઈ પાપ કરવાનું નથી, માટે સમજીને ત્યાગ માર્ગ અપનાવી લે. ત્યાગ માર્ગ જેવું કયાંય સુખ નથી. સંસાર તો પાપને ભરેલ છે. બંધુઓ! ચિત્તમુનિ બ્રહ્મદત્તને જેમ ત્યાગની વાત સમજાવે છે તેમ તમારે પણ સમજવાની જરૂર છે, કારણ કે સાધુપણામાં જે સુખ છે તે સંસારમાં નથી. યાદ રાખે. વીતરાગ પ્રભુને સાધુ તે શહેનશાહને ય શહેનશાહ છે. તેની આગળ ચક્રવતિ પણ રાંકડે છે. આ ભાવ આવ્યા વિના, આવી ખુમારી પિદા થયા વિના તમે સાધુપણને સ્વાદ ચાખી નહિ શકે. સંસારનું સુખ શ્રાપરૂપ છે ને દુઃખ એ આશીર્વાદ રૂપ છે. એ વાત જ્યાં સુધી તમારી બુધિમાં નહિ બેસે ત્યાં સુધી સાધુપણાનું મહત્ત્વ તમને નહિ સમજાય. જેના દિલમાં ત્યાગનું મહત્વ સમજાય
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy