SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૧૫ કરવાના બંધ કરે. પાપને કચરે જીવનમાં રાખવા જેવો નથી. તે વાત સમજાવવા માટે મહાપુરૂષોએ એક ન્યાય આપ્યો છે. એક ગર્ભશ્રીમંત શેઠ હતા. તેમના પત્ની પણ ખૂબ ગુણયલ હતા. તેમને એક દીકરો હતો. તે રૂપરૂપનો અંબાર હતો. આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજે. આપણે પાપ સાથે આ વાત ઘટાવવી છે. આ શેઠ શેઠાણીને એકને એક દીકરે એટલે ખૂબ વહાલે. એક કલાક સુધી તેનું મુખ જોવા ન મળે તો ઊંચાનીચા થઈ જાય. તેને ભણાવ્યો, ગણાવ્યો, ૨૨ વર્ષનો થયો એટલે પરણાવવાનો વિચાર કર્યો. સારી કન્યા સાથે લગ્ન કર્યા. બધા આનંદથી રહે છે. પરણ્યા પછી છ મહિને છેક માંદો પડે. હસતે, ખીલ, કમાતો, હરત, ફરતો અને સાજે સારે, તેને અચાનક છાતીને દુઃખાવો ઉપડશે. તેને કેમ સારું થાય તે માટે માબાપે ઈલાજો અને ઉપચારો ઘણાં કર્યા પણ એ બધા ઉપાયો નિષ્ફળ નીવડયા. તે ટૂંકું આયુષ્ય બાંધીને આવ્યો હશે એટલે કલાકમાં તો તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. જ્યાં આયુષ્ય પૂરું થાય ત્યાં ગમે તેટલા ઉપચાર કરે તે પણ તે બધા નકામાં છે. માતાપિતા, પત્ની બધાં કાળો કલ્પાંત કરવા લાગ્યા, માથા પછાડવા લાગ્યા. ઘરમાં રોકકળ મચી ગઈ. મૃત્યુ તો એનું એકનું થયું હતું પણ જાણે આખું ઘર સાફ ન થઈ ગયું હોય એવું ભયંકર શોકમય વાતાવરણ સર્જાઈ ગયું હતું. માતાપિતા અને પત્નીને તે એટલે બધે વહાલે હતું કે તે મરી ગયા છે એ વાત સાચી લાગતી ન હતી. મોહરાજાએ પાથરેલી માયાજાળ - આજુબાજુમાં બધાને ખબર પડી કે શેઠનો દીકરે અચાનક મરી ગયો એટલે બધા શેઠના ઘેર આવવા લાગ્યા. શેઠે બધાની સાથે એટલો પ્રેમ સંપાદન કરે છે કે આ સમાચાર મળતાં હજારે માણસો ચેકમાં ભરાઈ ગયા. બધા નનામી બાંધવાની તૈયારી કરવા લાગ્યા. શેઠ કહે, તમે બધા આ શું કરે છે ? મેહનીય કર્મ જીતવું સહેલું નથી. તે દારૂના નશા કરતાં પણ વધુ ભયંકર છે. બધા માણસો શેઠ પાસે બોલી ન શક્યા; પણ બધા સમજે છે કે છોકરો મરી ગયો છે, એટલે એને નનામીમાં બાંધીને સ્મશાને લઈ જવાને, પછી અગ્નિ સંસ્કાર કરવાનો. આ તો એક ને એક બે જેવી વાત છે. અભણ માણસ પણ આ સમજી શકે છે. શેઠ કંઈ બેલ્યા નહિ એટલે બધા ઘરમાં જવા તૈયાર થયા. શેઠ કહે, કોઈ મારા ઘરમાં ન આવશો. મેં મારા દીકરાને પલંગમાં મખમલની ગાદીમાં સૂવાડે છે, તેના પર સફેદ ચાદર ઓઢાડી છે. મારો એકને એક દીકરે છે. મારે તેને બાળી મૂક નથી. તમે બધા આવ્યા છે તો ભલે, તે બદલ આપને ઉપકાર. હવે આપ બધા ખુશીથી ઘેર જાવ. હું મારા દીકરાને પલંગમાં સુવાડી રાખીશ. અમને એના પર એટલે બધે પ્રેમ છે કે અમે એને છેડી શકીએ તેમ નથી. આ શેઠ પોતે કંઈકને બાળી આવ્યા છે, છતાં આજે ભાન ભૂલ્યા. તે કહેદીકરાને બાળવા માટે નહીં આપું. શેઠ ! આવી ઘેલછા કરવી તમને ન શોભે. હજી દીકરાની વહ બિચારી સાવ નાની છે. એ હજી આવી પહેલા કરે R RA કે જલી જ ! જ છે એ પણ મિત્ર હોય છે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy