SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨] [ શારદા શિામણિ કરવું પડશે. ન કરશેા. મારી પાસે પૈસાના તૂટો નથી. હુ' અનાજ અને ઘાસના સગ્રહ કરી લઈશ. મારી પાસે જે આવશે તેમને આપીશ, પણ મારુ કામ તે ગમે તેમ તેય આ યતિ ને ! શેઠે થાડી લાલચ આપી એટલે તે કામ કરવા તૈયાર થયા. આ પ્રયાગ માટે તેમણે એક કાલિયાર મૃગ મ`ગાન્યા. તેના શીગડામાં મેઘબ’ધનના મ`ત્ર મૂકીને એક તાવીજ પહેરાવી પછી કહ્યુ...–આ મૃગને રખડતો ન મૂકતા. તેને સુરક્ષિત વાડામાં બાંધજો. તે રખડતો જો બીજે જશે તો ત્યાં પણ દુષ્કાળ પડશે અને એટલુ ધ્યાન રાખજો કે તમારું કામ થઈ જાય એટલે આ તાવીજ તરત છોડી નાંખજો. જેથી સુકાળ થઈ જશે. મોહમાં ઘેલા અનેલે આત્મા કેવા પાપ કરવા તૈયાર થયા ! એક પાઈ નહિ ખર્ચીના પૈસા ખરચવા તૈયાર થયા. શું આ શેઠ દયાળુ હતા ? ના. આ તો અભિમાન પાપવા તૈયાર થયા છે. શેઠ ઘેર આવ્યા. શેઠાણી પૂછે છે કામ થઈ ગયુ` ? હા. શેઠની વાત સાંભળતા પ્રસન્ન થયા. પાપના કાર્યોંમાં પ્રસન્નતા એ જોરદાર કર્મ બંધનનું કારણ છે. તે યંત્રના કારણે વરસાદ ન થયા. અષાઢ ગયા, શ્રાવણ ગયા તો ય વરસાદનું એક ટીપુ ન પડયુ. દુષ્કાળ જાહેર થયા. એક માનને પોષવા કેટલા પાપ કરવા તૈયાર થયા. શેઠે પેાતાની પાસે જેટલું ધન હતું તે ધનથી ઘાસની ગંજીએ અને અનાજના સ'ગ્રહ કરવા માંડયા. આમ તે શેઠ પાકા કંજુસ હતા પરંતુ આજે શેઠાણીના મેહમાં પાગલ બનીને ફ્રી રહ્યા છે. માનવા, પશુએ ભૂખતરસથી મરવા લાગ્યા. શેઠે મફત અનાજ આપવાનું શરૂ કર્યું.. ગામના બધા લેાકેા લેવા આવ્યા પણ જેની રાહ જોતા હતા તે કુભાર ન આવ્યે . શેઠે મૃગના શીંગમાંથી તાવીજ છેડી નહિ. બીજે વર્ષે પણ દુષ્કાળ જાહેર થયેા. કુંભારની દશા બહુ ખરાખ થઈ. એક વર્ષીમાં તો કુંભારના ઘરમાર, વાસણેા અને ગધેડા બધું વેચાઈ ગયું. છતાં કુભાર શેઠની પાસે અન્ન માંગવા ન આવ્યા. તેને પિરવાર ભૂખે મરવા લાગ્યા. તે દિવસે જુદા અને આજના દિવસે જુદા ઃ ગામના માણસા કુંભારને કહેવા લાગ્યા કે ભાઈ! શેઠ અનાજ આપે છે તો તુ' લેવા જા. તેમાંથી જાડા પાતળા રોટલે બનાવીને ખાજે. તને કંઈક શાંતિ થશે. કુ'ભાર મનમાં સમજે છે કે હું જઈશ તો મને એમ કહેશે કે શેઠના ઘરની જારતારો ગધેડા નથી ખાતા તો તું શા માટે લેવા આવ્યે ? આ તેને ભય હતો છતાં અતિ દુઃખના કારણે તે ગયા. ભૂખ્યા ન જુવે એઠો ભાત” એ રીતે ભૂખના કારણે પીડાતા હોવાથી તે ગયા. નીચું મુખ રાખીને કહે છે રૂપાખા ! મને કંઈક આપે. હું ગરીબ માણુસ છું. પણ રૂપામાને આપવું હતુ. કાં ? એમને તા તેને જુત્તા મારવા હતા. રૂપાખા રાષથી એલ્યા, અમારી જાર તારા ગધેડા ન ખાય તે તું શા માટે લેવા આન્યા છે! બદમાશ ! અહીથી ચાલ્યા જા. કુંભાર કહે ખા! તે દિવસેા જુદા હતા અને અત્યારે દિવસે જુદા છે. ભયંકર દુષ્કાળ પડયો ને ભૂખ્યા પીડાતા હતો તેથી બધાના કહેવાથી આવ્યે છું. હું આપની માફી માંગું છું. મને ક્ષમા આપે. માફી માંગવા માથું નીચું નમાવ્યું તેવા માથામાં સાત વાર જુત્તા માર્યાં.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy