SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શારદા સરિતા મારા પ્રત્યે કેવું છે ત્યારે તેને ખૂબ દુખ થતું. પારકી વ્યક્તિ માણસને દુઃખ આપે તે બહુ દુઃખ ન થાય. એમ થાય કે મારે એની સાથે પૂર્વના વૈર હશે તે આ ભવમાં એ વૈરને બદલે વાળે છે. પણ જ્યારે માતા અને દીકરા કે દીકરી વચ્ચે, સાસુ ને વહુ વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, પિતા ને પુત્ર વચ્ચે, આવું બને છે ત્યારે એમ થાય છે કે મારી માતા થઈને મને આવું કર્યું? માતાને એમ થાય કે મારા દીકરાએ મને આમ કર્યું? સાંકડી સગાઈમાં ખૂબ દુઃખ થાય છે. શિખી નામ નિર્ધારીત કીના, સાનન્દ બ૮ કુમાર, કલાચાર્ય કે પાસ હો ગયા, કલા સીખ હુશીયાર, ઇસ બાલક કે ગેદ લીયા હૈ, પિતા કિયા પ્રચાર હે...શ્રોતા..... બ્રહ્મદરે આ બાળકનું નામ શિખીકુમાર પાડયું. આનંદપૂર્વક બાળકને ઉછેરે છે. વખત જતાં મોટે થયે ત્યારે કલાચાર્યની પાસે ગુપ્ત રીતે ભણવા મોકલે છે. ખૂબ ભણીગણીને શિખીકુમાર હશિયાર થાય છે પછી એ પુત્રને ખોળે લીધે છે એમ જાહેર કરીને રાજા એને પિતાને ત્યાં લાવે છે. ગમે તેમ કરે પણ પિતાના અને પારકા કદી છાના રહેતા નથી. જલિની તે શિખીને દેખે ને કેોધ આવે છે. પણ બ્રહ્મદત્ત પ્રધાન એનું ખૂબ ધ્યાન રાખે છે. ઘરની ખીચડી ખાઈને પંચાત કરનારા વગર પૈસાના પિસ્ટમેન જાલિનીને કહે છે કે આ તારે પુત્ર છે. રાજાએ એને ગુપ્ત રીતે ઉછેર્યો છે ને ભણાવ્યો છે. આ સાંભળી જાલિનીને ખૂબ કેધ ચઢયે. અહો ! મેં તે એને મારી નાંખવાનું કહ્યું હતું ને એને ઉછેર્યો? નકકી મારા પતિએ આમ કર્યું હશે. એને ખૂબ કૈધ આવે. જાલિનીને ફ્લેશ -જાલિની રીસાઈને સૂઈ ગઈ. પ્રધાન ઘેર આવ્યા. એટલે પૂછે છે તમને આજે શું થયું છે? કેમ સૂઈ ગયા છે? પણ જાતિની બેલતી નથી. કષાયના ઉદયથી પતિ ઉપર કોપાયમાન બની ગઈ છે. ખાવું-પીવું-ફરવું બધા કાર્યને ત્યાગ કર્યો છે. બ્રહ્મદત્તકુમારે ખૂબ પૂછયું ત્યારે કહ્યું કે તમારા વ્હાલસોયા દીકરાને તમે છાને માનો ઉછેર્યો છે કે ઘરમાં લાવ્યા છે. તે જે એને રાખવું હોય તે હું તમારા ઘરમાં નહિ રહું. કાં હું નહિ ને કાં એ નહિ. કાં મારે ત્યાગ કરે, કાં એને ત્યાગ કરે. તમે જયાં સુધી એને ત્યાગ નહીં કરે ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરીશ. બ્રહ્મદનમંત્રી ખૂબ ચતુર અને સમયને જાણકાર હતે. પત્ની કેપે ભરાઈ છે જાણે મૌન રહે. પિતે કંઈ બોલ્યા-ચાલ્યા વિના જ રહ્યો. આ વાત શિખીકુમારના જાણવામાં આવી. પિતે ખૂબ સરળ ને સમભાવી આત્મા હતું. તેનાં મનમાં વિચાર થયે કે મારા નિમિત્તે મારા પિતાને કેટલું બધું સહન કરવું પડે છે! પિતાજીને તે મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે. પણ માતાને મારા પૂર્વકર્મના ઉદયે બિલકુલ પ્રેમ આવતો નથી. શિખીકુમાર પિતાના પૂર્વકર્મને દેષ દેખે છે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy