SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ શારદા સરિતા એને ખાવાનું આપવા પાંજરું ને કામ પ્રસંગે રૂમમાં ગઈ. ત્યાં પિપટ ઉડીને સંતના દર્શન કરવા ગયો. દર્શન કરીને વિચાર કર્યો કે રોજ પાંજરાની પરાધીનતામાં રહેવું. સુલોચના કેઈ દિવસ દર્શન કરવા જાય અને કઈ દિવસ ન જાય તે મારો નિયમ તૂટે. માટે હું સ્વેચ્છાથી જંગલમાં વિચરૂં. હું સ્વતંત્ર હોઈશ તે સંત ગમે ત્યાં હશે તે દર્શનને લાભ મળશે. હું બધે પહોંચીશ એમ વિચાર કરી પિોપટ જંગલમાં ચાલ્યું ગયે ને ફળદ્રુટને આહાર કર્યો. આ તરફ સુલોચના આવી ને પોપટને ન જે. એટલે ખૂબ રડવા લાગી. રાજાને આ વાતની ખબર પડી એટલે પોપટની તપાસ કરવા માટે સુભટને જંગલમાં મોકલ્યા. સુભટેએ વૃક્ષ ઉપર પોપટને બેઠેલે જે. જાળ બિછાવીને પોપટને પકડી લાવ્યા અને સુચનાને પિપટ મળી ગયા. પિપટ ઉપર તેને અત્યંત રાગ હતું તેથી એમ થયું કે હું તેને આટલે સાચવું છું છતાં ઉડી ગયા? એટલે ગુસ્સો આવ્યું. હવે એ જીવે ત્યાં સુધી ફરીને ઉડીને કયાંય ન જાય એ મેહ અને સાથે રોષ ભળે એટલે સુલોચનાએ તેની બંને પાંખે છેદી નાંખીને પાંજરામાં પૂરી દીધે. સ્વતંત્ર ઉડવાના સ્વભાવવાળે પોપટ પાંજરામાં પૂરાયો. હવે તે એની પાંખે પણ છેદાઈ ગઈ હતી તેથી તેને બહુ દુઃખ થયું. બીજી ક્ષણે વિચાર થયે કે આમ દુઃખ કરવાથી શું ફાયદે? એમ વિચારીને સ્વસ્થ બની ગયા. હવે સંતના દર્શન મને થવાના નથી એ મારા પાપને ઉદય છે. હવે તે ઉચ્ચ કોટિની સાધના કરી લઉં એમ વિચારી પોપટે અનશન સ્વીકારી લીધું. અનશન કરીને પોપટ પાંચ દિવસ જીવ્યો ને એ પાંચેય દિવસ પંચપરમેષ્ટિના ધ્યાનમાં વિતાવ્યા ને આયુષ્ય પૂર્ણ કરી સમાધિ મરણે મરીને દેવલોકમાં ઉત્પન્ન થયે. બીજી તરફ સુચના પણ પિપટની પાંખ છેદીને તેને પાંજરામાં પૂર્યા પછી શાંતિ પામી શકી નહિ. પિપટ ઉપર તેને જેવો તે રાગ ન હતા. પિપટ ખાય નહિ તે એ પણ ખાય નહિ. પોપટે પાંચ દિવસ ખાધું પીધું નહિ તો એણે પણ ખાધું નહિ અને પિપટના મરી ગયા પછી એણે પણ અનશન વ્રત સ્વીકારી લીધું ને સમાધીપૂર્વક મરીને તે પણ દેવલોકમાં ગઈ અને પોપટ જે દેવ બન્યું હતું તેની દેવી તરીકે ઉત્પન્ન થઈ. ત્યાં દેવસુખ ભોગવીને આયુષ્ય પૂર્ણ થયે એવીને પિપટને જીવ દેવ થયે હતું તે શંખ રાજા તરીકે ઉત્પનન થયો અને સુચના જે દેવી બની હતી તે કલાવંતી તરીકે ઉત્પન્ન થઈ અને કલાવંતીએ રાજકુમારી સુલોચનાના ભવમાં તેની પાંખ છેદી હતી તેના કારણે કલાવતીન ભાઈએ બહેનને બેરખા મોકલ્યા. ભાઈ અને પતિનું નામ એક હોવાથી ખેટી ગેરસમજ ઉભી થઈ અને કલાવંતીના કાંડા કપાવ્યા. પાછળથી એની શંકા ટળી ગઈ ત્યારે ખૂબ પશ્ચાતાપ થય ને બળી મરવા તૈયાર થયા. તે સમયે તેને સંતને વેગ મળવાથી શાંત બન્યા ને લાવંતી રાણે પાછા મળ્યા. ને બંને ખૂબ સુંદર ધર્મમય જીવન જીવ્યા. છેલ્લે શંખ રાજા અને કલાવતી રાણીએ સંયમ અંગીકાર કર્યો.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy