SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ વ્યાખ્યાન ન–૩૩ શારદા સરિતા શ્રાવણ શુદ ૧૩ ને શનિવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેન ! અનંત કરૂણુાનિધી શાસનપતિ ભગવતે સિદ્ધાંતની પ્રરૂપણા કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. જીવના મહાન સદ્ભાગ્ય હાય, પુણ્યાય હાય તા આ વાણી સાંભળવાનેા સુઅવસર પ્રાપ્ત થાય. જ્યારે જીવાત્મા એ ઇન્દ્રિયમાં ઉત્પન્ન થયા ત્યારે કાયાને સુખ મળ્યુ. તે ઈન્દ્રિયમાં કાયા-મુખને નાસિકા મળી. ચૌરેન્દ્રિયમાં કાયા-મુખ-નાસિકાને આંખ મળી. પચેન્દ્રિયમાં આવ્યે ત્યારે કાન મળ્યા. પાચ ઇન્દ્રિઓમાં કાનની કિંમત વધારે છે. કાનનું મૂલ્ય સમજો. આંખે ન જોઈ શકનાર પણ કાને સાંમબીને સ્વરૂપને પામી શકે છે. આત્મસ્વરૂપની પિછાણુ આ માનવભવમાં થઇ શકે છે. આટલા માટે આપણા જ્ઞાની ભાગવતા કહે છે કે વુદ્દે વહુ માનુસે મવે । માનવભવ દુર્લભ છે. ખંધુએ 1 જન્મ એ વભાવે સારા નહિ છતાં જ્ઞાનીઓએ મનુષ્યજન્મને એટલા માટે સારા કહ્યા છે કે એ જન્મ દ્વારા જન્મરહિત બની શકાય છે. જીવનને કિંમતી બનાવા માટે માનવજન્મની કિંમત સમજો. જન્મનું દુઃખ એટલે શરીરનુ' દુઃખ, કારણ કે સિદ્ધ ભગવાને શરીર નથી તેા કાઈ ઉપાધિ નથી. આપણે શરીર છે. તેથી બધી ઉપાધિઓ છે. એના પર તમને પ્રેમ છે કે દ્વેષ? પ્રેમ હાય તે। દેહ જે માંગે તે આપવાનું મન થાય ને દ્વેષ હાય તે તેનાથી છૂટવાનું મન થાય. ઇન્દ્રિયાની ગુલામીમાંથી મુકત ખનવા માટે શરીર અને સંસારની મમતા ત્યાગી સંયમમાગે આવી જાવ. આ શરીરી અવસ્થા પામવાનુ જેને મન થતું નથી તેને જન્મમરણના ફેરા ખશખ નથી લાગ્યા. એ ખરાબ નહિ લાગે ત્યાં સુધી ઈન્દ્રિઓના વિષયથી મુકિત મેળવવાનું મન નહિ થાય અને ત્યાં સુધી જીવન સારું નહિ બને. પાંચ ઇન્દ્રિઓની ગુલામી હેાડે. મહાન પુરૂષા ઈન્દ્રિઓને હુકમ કરે છે કે હું તમારા ઉપયોગ કરીશ પણ તમે જ્યાં જવા ઇચ્છા છે ત્યાં જવા ઈશ નહિ, સમજો, ઇન્દ્રિઓ આપણા ઉપર કાબુ રાખે તે માનજો કે ઉલ્ટી ગંગા વહી રહી છે. સČજ્ઞ ભગવંતની વાણી સાંભળી સવળી કરવાને આ અમૂલ્ય અવસર મળ્યે છે. ગલકારી વીરની વાણી જાણે અ મૃ ત ધા રે, ઝીલી શકે ના અંતર જેનુ એળે ગયે। અવતાર, જાણે એ તે! મેક્ષ પ્રમાણી એવી મારા વીરની વાણી...સુખ છે ચેડું, તા. ૧૧-૮-૭૩ વીર પ્રભુની વાણી ભવ અધનને કાપનારી છે, શાશ્વત સુખ અપાવનારી છે. પણ જેના અંતરમાં એ વાણી ઉતરી નથી તેનું જીવન અંધકારમય છે. જમાલિકુમારને ભગવાનની વાણી અતરમાં ઉતરી ગઈ ને સંસાર છેડવાનુ મન થયું. તમે કેટલી વાર
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy