SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૮૭ નિગ્રંથ પ્રવચન ઉપર વિશ્વાસ કરું છું. હે ભગવંત! હું નિગ્રંથ પ્રવચન ઉપર રૂચી કરું છું અને હે ભગવાન! હું નિગ્રંથ પ્રવચનના અનુસાર વર્તવાને તૈયાર થયે છું. હે ભગવંત! તમે જે નિગ્રંથ પ્રવચનને ઉપદેશ આપે છે તે એમજ છે. હે ભગવાન! તેમજ છે. સત્ય છે, નિશ્ચિત છે અને નિઃશંક છે. આ પ્રમાણે જમાલિકુમાર બોલ્યા. એમને પ્રભુની વાણી સાંભળતા કેટલો હર્ષ હતો, કેટલી લીનતા હતી ! દીકરો પરદેશ રહેતે હોય, બે મહિનાથી પત્ર નો આ ને પછી આવ્યું. એ વાંચતા કેટલે આનંદ હોય છે. એ આનંદ પ્રભુની વાણું સાંભળતાં હોવો જોઈએ. એક બાઈનો પતિ પરદેશ કમાવા માટે ગયે. એનો પતિ કહીને ગયે હતું કે હું બરાબર ઠેકાણસર થઈ જઈશ પછી તરત તને પત્ર લખીશ. પણ એને પતિ ત્યાં જઈને ભૂલી ગયે. કમાવામાં પડી ગયો બાઈ દરરોજ પત્રની રાહ જોયા કરે. એમ કરતાં બાર વર્ષે પતિને પત્ર આવ્યું. જેઈને ગાંડીતૂર બની ગઈ. હર્ષ સમાતું નથી પણ વાંચતા આવડતું નથી. એટલે એક ભાઈ ત્યાંથી નીકળે. તેને કહે છેઃ ભાઈ ! આટલે પત્ર વાંચી દેને ! તારે માટો ઉપકાર માનીશ. કવર હાથમાં લીધું પણ ભાઈને વાંચતા આવડતું નથી. એ પણ બાઈ જેવો અભણ હતું એટલે આંખમાં આંસુ આવ્યા. રડવા લાગ્યો એટલે બાઈ સમજી કે મારા પતિના બાર બાર વર્ષે સમાચાર આવ્યા ને આવ્યા તે અશુભ આવ્યા! પિલાને પૂછતી નથી કે પત્રમાં શું લખ્યું છે? અને એ કહેતો નથી કે મને વાંચતા નથી આવડતું તેનું મને રડવું આવે છે. મુકે ને ધ્રુસકે છેડે વાળીને રડવા લાગી. શેરીના માણસો ભેગા થયા. બાઈના પીયરીયા પણ ગામમાં રહેતા હતા. એમને ખબર પડી એટલે એ બધા ભેગા થઈને રડવા લાગ્યા. એ શેરીમાં એક ડાઢો માણસ રહેતે હતો તે દોડતો આવ્યો ને પૂછ્યું કે બધા કેમ રડો છે? ત્યારે કહે કે આ બહેનના પતિના અશુભ સમાચાર આવ્યા છે. તેણે કહ્યું. તે કહે કે આ પત્ર વાંચીને રડવા લાગે એટલે હું રડવા લાગી. હું રડું છું એટલે આ બધા ભેગા થઈને રડે છે. એ ભાઈને પૂછે કે પત્રમાં શું લખ્યું છે તે કહે મને એ બહેને પત્ર વાંચવા દીધે પણ મને વાંચતા આવડતું નથી એટલે રડું છું. (હસાહસ) પેલો ડાહો માણસ પત્ર વાંચે છે. તે એમાં લખ્યું છે કે ભગવાનની કૃપાથી ઘણું ધન કમાયો છું. હવે આપણને કંઈ દુઃખ નથી અને હું અહીંથી રવાના થઈ ચાર દિવસમાં ત્યાં આવું છું. જુઓ ! અજ્ઞાનના કારણે કેટલો અનર્થ થઈ ગયે. સમાચાર આનંદના હતાં પણ સાચું સમજાવનાર ન મળ્યું તે આનંદના સ્થાને શેક છવાઈ ગયે. બંધુઓ ! ઘણીવાર અહીં વ્યાખ્યાનમાં પણ એવું બને છે કે ભગવાનની વાણી સાંભળતાં કેઈ આનુપૂર્વી ગણે છે, કઈ માળા ગણે છે તે કઈ ગુચ્છાનું પડિલેહણ કરે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy