SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુજનપૂજા . એક આધ મંગલ ૧૧૩ # સત્પતિપતિ - તેમના આદેશ વખતે.. કેમ ? શું છે ? શા માટે ? આ રીતના પ્રશ્નો ન કરવા. સમ્યકપણે તેમના આદેશનો હાજી, તહતિ વગેરે કહેવાપૂર્વક સ્વીકાર કરવો. અસ્થાને નામગ્રહણ ત્યાગ – સંડાસ, ઉકરડા વગેરે અશુચિસ્થાનમાં તેમનું નામ ન લેવું. # અવર્ણશ્રવણત્યાગ - તેમની નિંદા સાંભળવી પણ નહીં. # નિર્દેશવર્તિતા - તેમને પૂછીને બધું કરવું. નિભૃતાસન - તેમની પાસે વિનયપૂર્વક બેસવું. તદનિષ્ટ ત્યાગ – તેમને ન ગમે તેવું ન કરવું. તદિષ્ટ પ્રવર્તન - તેમને ગમે તેવું કરવું. (આ બંને વસ્તુ ધર્માદિમાં બાધા ન થાય તેમ ઔચિત્યપૂર્વક કરવી) # તત્પશ્ચાત્ ભોજન - તે જમી લે પછી જ જમવું. ગુણવર્ણન - તેમના ગુણગાન કરવા. યશ-પ્રદાન - એમને આગળ કરીને એમને જ જસ આપવો. # તદાસનાદિ અભોગ - તેમનું આસન, કપડા, વસ્તુ વગેરે પોતે ન વાપરવું.
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy