SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ - ગુજરાતના ધમ સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાયને પ્રચાર વ્યાપક સતે વિસ્તર્યો. ઠેર ઠેર પુષ્ટિ સંપ્રદાયનાં હવેલી મંદિરે અસ્તિત્વમાં આવ્યાં. વલ્લભાચાર્યની બેઠકેનું મહત્વ વણમાં વધ્યું. ડાકોર, શામળાજી, દ્વારકા જેવાં વૈષ્ણવ સંપ્રદાયનાં તીર્થધામો વધારે કપ્રિય બન્યાં. આ તીર્થોની મુલાકાતે દરેક સંપ્રદાયના લેકે આવવા લાગ્યા. અર્વાચીન યુગમાં વૈષ્ણવ સંપ્રદાય વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલો છે. પણ સમાજ ઉપરથી સંપ્રદાયની પકડ ઢીલી પડી ગઈ છે. આચાર-વિચારમાં રૂઢિચૂસ્તતા જોવા મળતી નથી. સમાજ પરથી સાંપ્રદાયિક અસર ધીરે ધીરે નાબૂદ થતી જાય છે. તેમ છતાં ગુજરાતનાં અનેક ગામો જેવાં કે મેડાસા, લુણાવાડા, ગોધરા, વાડાશિનેર, વીરપુર, દેવગઢ બારિયા, દાહોદ, ઝાલોદ, નડિયાદ, સૂરત તેમજ સૌરાષ્ટ્રમાં પિોરબંદર, ઘેડ માધવપુરની આસપાસના વિસ્તારમાં તથા કચ્છમાં વસતી ભાટિયા કેમમાં પુષ્ટિ સંપ્રદાયની અસર વ્યાપક પ્રમાણમાં વર્તાય છે. ભારતના ચતુર્ધામાં ગુજરાતના દ્વારકાતીર્થને સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય તીર્થધામમાં દ્વારકા ઉપરાંત ડાકોરને સમાવેશ થાય છે. જગદ્ગુરુ શંકરાચાર્યના ચાર પીઠમાંની એક પીઠ દ્વારકામાં સ્થપાયેલી છે. તે પણ એ વૈષ્ણવ તીર્થને ભારત વ્યાપી મહિમા દર્શાવે છે. ગુજરાતમાં પ્રચલિત વૈષ્ણવ સંપ્રદાયે પંદરમી સદી પછી ગુજરાતમાં વિવિધ પ્રકારના વૈષ્ણવ સંપ્રદાયોને પ્રચાર વશે. તેમણે વૈષ્ણવ ધર્મની પૌરાણિક ભક્તિનું સ્વરૂપ બદલી નાખ્યું. દરેક સંપ્રદાયે પોતાનું આગવું તત્ત્વ વૈષ્ણવ ધર્મમાં દાખલ કર્યું. આવા સંપ્રદાય નીચે પ્રમાણેના છેઃ (૧) રામાનુજ સંપ્રદાયઃ રામાનુજ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાયની એક નોંધપાત્ર શાખા હોવા છતાં પ્રાચીન કાળમાં તેને પ્રચાર ગુજરાતમાં થયો હોય તેવા પ્રમાણભૂત આધારે મળતા નથી. પણ આ સંપ્રદાયનાં ચારસો-પાંચસો વર્ષ ઉપર લખાયેલા ગ્રંથ ગુજરાતમાંથી મળ્યા છે. આ ઉપરાંત આ સંપ્રદાયને પ્રચાર ગુજરાતમાં અર્વાચીનકાલમા હોવાનો સંભવ છે. ઈ. સ. ૧૮૭૨ના વસ્તીપત્રકમાં ગુજરાતમાં લગભગ ૧૧લાખ રામાનુજી વૈષ્ણવો નાંધાયા છે. આમાં રામાનંદી, રામસ્નેહી અને અન્ય રામભક્તોને સમાવેશ થયો હોવાને સંભવ છે. વીસમી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્રના બીલખા, જૂનાગઢ વગેરે કેટલાંક ગામમાં આ સંપ્રદાયને પ્રચાર
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy