SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૮) ભગવાનની ભક્તિરૂપી તપ દ્વારા ઝેર પણ અમૃત બની જાય છે. - મીરાબાઈ (૬૯) અહિંસા, સત્ય જેવું બીજું કોઈ તપ નથી. - ગાંધીજી (૭૦) અંતર સાથે નાદ જગાવી અંતિમ સમયે સમાધિ મળે એ પણ તપ છે. - સતિ ગંગાબાઈ (૭૧) મૌન, ધ્યાન, ત્યાગ, સમાધિ આ બધા તપના જ પ્રકાર છે. - સતિ અમરબાઇ મા (૭૨) તપશ્ચર્યાથી કર્મ નિર્જરા થાય છે. વીતરાગતાની પ્રાપ્તિ થાય છે. - શ્રીમદ રાજચંદ્રજી (૭૩) તપનો રાજા ધ્યાન છે અને તે દ્વારા આત્માના આનંદમાં પ્રવેશ કરી શકાય છે. ધ્યાન એ નિર્જરાનું સાધન અને મોક્ષનું પ્રત્યક્ષ કારણ છે. તમારા જીવનમાં ધ્યાનરૂપી તપનું પ્રતિબિંબ પડે છે. – ડો. સોનેજી (આત્માનંદજી) (૭૪) શરીર શુદ્ધિ માટે સાબુ અને પાણી જરૂરી છે, તેમ આત્મ શુદ્ધિ માટે તપ અને સંયમ જરૂરી છે. - ડો. ઇન્તાઝ મલેક (૭૫) બે અક્ષરનો બનેલો તપ શબ્દ દેખાવમાં નાનો છે, પરંતુ એની શક્તિ વિરાટ છે. જેના અનેક દાખલાઓ છે. - ડો. કુમારપાળ દેસાઈ (૭૬) તપ એ કર્મોનું પરિવર્તન કરે છે અને ઘર્મમાં રૂપાંતર કરે છે. - ડો. જિતેન્દ્રભાઈ શાહ (૭૭) તપ પામરને પવિત્ર બનાવે છે. હવાનને ઇન્સાન બનાવે છે. ભાગ્યશાળીને ભગવાન બનાવે છે. - ડો. કવિનભાઇ શાહ (૭૮) તપ એ ભારતની સંસ્કૃતિ છે. જેનું આચરણ દરેકે કરવું જોઇએ. - ડો. પગારીયાજી (૭૯) તપ એ કર્મોનું વિસર્જન કરે છે અને આત્મગુણોનું સર્જન કરે છે. - ડો. રતનબેન છાડવા (૮૦) તપનું લક્ષ્ય નિર્જરાનું હોવું જોઈએ તો એ અવશ્ય ફળે છે. - ડો. પાર્વતીબેન ખીરાણી (૮૧) તપ સમજપૂર્વક કરવામાં આવે તો મિથ્યાત્વની ગાંઠ ભેદાય છે અને સમ્યદર્શનની પ્રાપ્તિ થાય છે. - ડો. ભાનુબેન સત્રા (૮૨) તપથી જીવન મધુર બને છે, બાકી બધુ અધુરૂ છે. - વનિતાબેન ગડા (૮૩) ઉપવાસથી અનિષ્ટ તત્વોનો નાશ થાય છે. - અન્ના હજારે (૮૪) ઉપવાસથી દૈવિશક્તિની પ્રાપ્તિ થાય છે. - પ્રફુલભાઇ બખાઈ (૮૫) બ્રીટીશ સરકાર સામે ૬૫ દિવસ ઉપવાસ કરી માંગ પૂરી કરેલ. - બોબી સેવ્સ (૮૬) ક્ષમા અને શાંતિ જ સાચુ તપ છે. - નેલ્સન મંડેલા (૮૭) આર્ય સંસ્કૃતિ એ ભવ્ય સંસ્કૃતિ છે અને એમાં પણ તપની વાત અદ્ભુત છે. - હર્મન જેકોબી (૮૮) તપથી જેનું જીવન તેજસ્વી છે. એવા જૈન સાધુને લઇ આવવાની વાત સિકંદર ને કરી. કારણ કે પોતે પણ તપ સાધનામય જીવન જીવતા હતા. - ટૉલ્સટૉય (૮૯) કાંઇ પણ સહન કરવું, કાંઇ પણ જતું કરવું એ તપશ્ચર્યા છે. - લાઓસે (૯૦) તપશ્ચર્યા એક શ્વાસની પ્રક્રિયા છે બસ વિશ્વાસ હોવો જોઇએ. - રજનીશજી, (૯૧) સાપેક્ષતાનો સિધ્ધાન્ત સ્વીકાર કરવો અને એ પ્રમાણે રહેવું એ તપ છે. - આઈન્સટાઇન (૯૨) સહુની સેવા કરવી એ પણ તપ છે. - મધર ટેરેસા 11
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy