SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પુનઃ સંપાદકની કલમે જૈન સાહિત્યમાં પ્રભાવક ચરિત્ર' નું જેમ અદકેરૂ સ્થાન છે તેમ ‘પ્રબન્ધચિન્તામણિ નું પણ તેવું જ મહત્ત્વ છે. આ બન્ને ગ્રંથો ઇતિહાસજ્ઞાનની અગત્યની કડી સમાન છે તેમ કહેવું વધુ પડતું નથી કેમકે ઇતિહાસજ્ઞાનનો બહુ મોટો અવકાશ આ બન્ને ગ્રંથોએ ભરી આપ્યો છે. કલ્પના કરો કે ‘પ્રભાવક ચરિત્ર’ ન હોત તો વિક્રમની પહેલી સહસ્રાબ્દીમાં થયેલાં શાસનપ્રભાવક સૂરિદેવોનો કડીબદ્ધ ઇતિહાસ આજે શી રીતે પ્રાપ્ત થાત ? તે જ રીતે ‘પ્રબન્ધચિન્તામણિ' ન હોત તો જૈન સંઘ સાથે સંકળાયેલાં રાજકીય ઇતિહાસને સમજવામાં કેટલી મુશ્કેલી પડત ? પ્રભાવક ચરિત્રની રચના પૂ. પૂર્વાચાર્ય ભગવંતશ્રી પ્રભાચંદ્ર સૂ.મ.એ કરી છે અને પ્રબંધચિંતામણિની રચના પૂ. પૂર્વાચાર્ય ભગવંત શ્રી મેરૂતુંગ સૂ.મ.એ કરી છે. આ બન્ને મહાપુરૂષોએ અનુશ્રુતિઓ દ્વારા તેમજ ગુરૂસંપ્રદાય દ્વારા આ ઇતિહાસ મેળવ્યો હતો. ઇતિહાસના એ વારસાને ગ્રંથસ્થ કરીને તેને વધુ ભેળસેળથી બચાવી લેવાનું પુત્યકાર્ય આ મહાપુરૂષોએ કર્યું છે તેમજ એ વા૨સાને આપણા સુધી પહોંચતો કર્યો છે. આ મહાપુરૂષોનો આ ઉપકાર જૈન સંઘ કદી ભૂલી શકશે નહિ. માત્ર જૈન સાહિત્ય જ નહિ, સમગ્ર ભારતીય સાહિત્યમાં આ બન્ને ગ્રંથોની ગણના અગ્રસ્થાને કરવી પડે તેમ છે. પ્રસ્તુત, પ્રબન્ધચિંતામણિ' ગ્રંથ વિક્રમના ચૌદમા સૈકામાં રચાયેલો છે. ગ્રંથના વિષયને પાંચ સર્ગોમાં પૃથક્કૃત કરવામાં આવ્યો છે. વિક્રમાદિત્યથી લઇ વસ્તુપાળ-તેજપાળ સુધીના જુદાં-જુદાં રાજપુરૂષોનું કવન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ પૈકીના ઘણા રાજપુરૂષો જૈનશાસન સાથે જોડાયેલાં હોવાથી તેમની જીવન ઘટનાઓના માધ્યમે આપણને તત્કાલીન જૈન સંઘના ઇતિહાસની પણ આછેરી ઝલક જાણવા મળે છે.
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy