SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ 'ભક્તામર સ્તોત્રમાં મંત્ર - યંત્ર - તંત્ર અને અષ્ટકો ના ગ્રંથોમાં જે ; ની વિભૂતિઓ , નવા છે તે તે વેદ, ઉપનિષદ, પુરાણ, જૈન તેમજ બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં જે કાંઈ મંત્ર – યંત્ર – તંત્રની વિદ્યા છે તે તે ગ્રંથની વિદ્યાના આધારે, તે તે યુગની વિભૂતિઓ પોતાની સ્વાયામાં આધ્યાત્મિક ચેતન્યની શક્તિ જન્માવી શક્યા હતા. આંખો મીંચીની વિશ્વના કયા ભાગમાં શું બની રહ્યું છે કે હવે પછી ભવિષ્યમાં શું બનવાનું છે તે નિહાળી શકનાર તપસ્વી ઋષિમુનિઓ અને આર્ષદ્રષ્ટાઓની પરંપરા ભારતભૂમિ ઉપર પ્રાચીનકાળથી ચાલી જ આવે છે. સમગ્ર બ્રહ્માંડની શક્તિના ભાગને માનવ ધારણ કરી શકે છે, કારણ કે માનવદેહમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોય છે. આમ તંત્રવિદ્યાને માનવદેહ સાથે સંબંધ છે. માનવદેહને બ્રહ્માંડ સાથે જોડીને બ્રહ્માંડમાં વિહરતી સૂર્યશક્તિને પોતાની કાયામાં સમાવીને મંત્ર-યંત્ર અને તંત્ર રૂપી સાધના દ્વારા પોતાની કાયામાંથી આત્મદીપક પ્રગટાવી શકાય તેનું સંપૂર્ણ જ્ઞાન સંસ્કૃત ગ્રંથોમાં પરાપૂર્વથી ચાલ્યું આવે છે. અર્થાતુ માનવદેહની સમગ્ર કાયામાં મંત્રની અસર ઝીલતા અને તંત્રમાં પરિવર્તન બનતાં સ્થાનો છે. આ સ્થાન એવા તો અદ્ભુત છે કે જેમાં સમગ્ર બ્રહ્માંડની સૂર્યશક્તિને ઝીલી લઈને અલૌકિક પરિવર્તન લાવીને માનવદેહમાં વામનતામાંથી વિરાટતાને પ્રગટાવી શકાય છે. આદિવાસી લોકોમાં પણ મંત્ર-પરંપરા જોવા મળે છે. તેવી જ રીતે ખ્રિસ્તીઓ અને મુસલમાનોનું પણ મંત્રશાસ્ત્ર છે. પ્રત્યેક આત્મામાં અનંત અખૂટ શક્તિ અને જ્ઞાનનો ભંડાર છે. તેવું શાસ્ત્રવચન છે. આત્મામાં રહેલી આ અનંત શક્તિની અભિવ્યક્તિ તે મન-વચન-કાયા
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy