SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર - 223 તેઓના આશ્રયે છે. બંને એકરૂપ છે. તેથી જો ગુણો મુક્ત રીતે ફરી શકતા હોય તો પોતે પણ ચોક્કસ મુક્ત ફરી શકશે. સુરિજીએ અહીં પ્રભુનું સાર્વભૌમત્વ પ્રગટ કર્યું છે. પ્રભુની શરણાગતિના સર્વોચ્ચ સ્વીકારની અભિવ્યક્તિ અહીં તેમણે દર્શિત કરી છે. જગતના સર્વજીવો યથેચ્છ રીતે ફરવાનું વિચારતા હોય છે. પરંતુ ભવ્ય જીવો સિવાયના સર્વ જીવોની આ ઇચ્છા પૂર્ણ થતી નથી. આત્મા સર્વશક્તિમાન હોવા છતાં કર્મનાં બંધનોને કારણ તે અસમર્થ હોય છે. પરંતુ પ્રભુના આશ્રયને પામેલા ગુણોનું શરણ સ્વીકારે તો મુક્તાવસ્થાના અંતિમ લક્ષ સુધી પહોંચી શકાય છે. સમર્થનું સામર્થ્ય સ્વીકારવાથી તેને યથેચ્છ વિચરણ કરતા કોણ રોકી શકે ? કોઈ જ નહિ. ભક્તાત્મા ક્ષમા, વૈરાગ્ય, અપરિગ્રહ વગેરે પ્રભુના ગુણોને ધારણ કરે છે ત્યારે જ સાચા અર્થમાં પ્રભુનું શરણ ગ્રહણ કરવામાં સફળ થાય છે અને આત્મા પરમાત્મા બની શકે છે. શ્લોક ૧૫મો. चित्रं किमत्र यदि ते त्रिदशाङ्गनाभिनीतं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्तकालमरूता चलिताचलेन, किं मन्दरादिशिखरं चलितं कदाचित् ? ||१५।। ઇંદ્રાણીઓ ચલિત કરવા આદરે જે પ્રકારો, તો યે થાતા કદિ નહિ અહા આપને રે વિકારો; ડોલે જો કે સકલ મહીધરો કલ્પના વાયરાથી, ડોલે તો યે કદિ નવ અહા મેરુ એ વાયરાથી. (૧૫) શબ્દાર્થ વિત્ર કિમ ત્ર- એમાં આશ્ચર્ય શું ? યદિ – જો તે મન – આપનું મન ત્રિશા નામ: - દેવાંગનાઓ વડે જ નીતમ્ – ન દોરવાયું હોય મના -- જરા પણ લેશ માત્ર પણ વિવારનામ – વિકાર માર્ગ પ્રતિ ઉત્પાર્તવનિ – પ્રલયકાળના મચ્છતા – પવન વડે નિતા - ચલાયમાન - ડોલાયમાન - કંપાયમાન કરેલા અવનેન – પહાડો જેને ક્રિમ - શું મદ્રાદ્રિ - મેરુપર્વતનું શિવરમ્ - શૃંગ-શિખર ઋવિત – ક્યારેય પણ . કોઈ પણ વખત નિતમ્ - ચલાયમાન થયું છે . કંપાયમાન થયું છે ખરું ? ભાવાર્થ : હે પ્રભુ ! આપનું મન દેવાંગનાઓથી પણ વિકાર માર્ગે લેશમાત્ર પણ ન દોરવાયું હોય એમાં મને કંઈ આશ્ચર્ય પામવા જેવું લાગતું નથી. પર્વતોને કંપાયમાન કર્યા છે એવા પ્રલયકાળના પવન ફૂંકાવા છતાં મેરુપર્વતનું શિખર કયારેય પણ ચલાયમાન થયું છે ખરું ?
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy