SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ. - જે ગિરિરાજપર વસુદેવની સ્ત્રીઓ પાંત્રીસ હજાર સાથે સિદ્ધિપદને પામી છે. તે સિદ્ધગિરિને હું નમસ્કાર કરું છું. (૨૬) चतुःशताधिकैश्चत्वा-रिशच्छतैस्तुनिर्वृता। वैदर्भी सिद्धशैले तं, नमाम्यहं सुभावतः ॥२७॥ જે ગિરિરાજપર પ્રદ્યુમ્નની સ્ત્રી વૈદર્ભી ચુમ્માલીશ (૪૪00) સાથે નિર્વાણ પામી તે શ્રી સિદ્ધ ગિરિરાજને હું ઉત્તમ ભાવથી નમસ્કાર કરું છું. (૨૭) एकलक्षमुनि प्रष्टै-र्यशसादित्यको मुनिः। सिद्धिगतिं वरांप्राप्त-स्तत्तीर्थं च नमाम्यहम्॥२८॥ શ્રી ભરત ચક્રવર્તીના પુત્ર શ્રી આદિત્યયશા મુનિ એક લાખ મુનિઓના પરિવાર સાથે જે તીર્થપર શ્રેષ્ઠ સિદ્ધિ ગતિને પામ્યા છે. તે તીર્થને હું નમસ્કાર કરું છું. (૨૮) अष्टाधिकसहस्रेण मुनिभिर्यत्रनिर्वृताः । श्री बाहुबलिन: पुत्राः, सिद्धशैलं नमामि तम्॥२९॥ જે ગિરિરાજપર એક હજાર ને આઠ (૧૦%)મુનિઓ બાહુબલીના પુત્રો સિદ્ધિપદ પામ્યા તે સિદ્ધગિરિને હું નમસ્કાર કરું છું. (ર૯ ) ચતુર્તા સદરૅશ, પિતાર્નિહામુનિ: शैलेशीकरणं प्राप्य, यत्र निर्वाणमाप्तवान् ॥३०॥ જે ગિરિરાજપર ચૌદ હજાર મુનિઓ સાથે મિતારિ મહામુનિ શૈલેષીકરણ કરીને નિર્વાણ પદ પામ્યા છે.() श्री स्थापत्यो गणाधीश:, सहसमुनिसंयुतः। निर्वाणपदवीं प्राप्तो - गिरौ सिद्धाचले वरे॥३१॥ અતીત ચોવીશીના – ૨૪ – મા તીર્થંકર શ્રી સંપ્રતિ જિનેશ્વરના ગણધર શ્રી થાવસ્યા એક હજાર મુનિઓના પરિવાર સાથે ઉત્તમ એવા શ્રી સિદ્ધાચલ ગિરિરાજપર નિર્વાણ પદ પામ્યા છે. (૩૧)
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy