SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૧) વાથી રાગ, દ્વેષાદિકની ઉત્પત્તિ સિવાય બીજું કાંઈ પણ ફાયદો મને જણાતો નથી. ચંચળ લક્ષ્મીને ત્યાગ કરવાથી (દાન આપવાથી) પણ કીર્તિ પેદા થાય તે પણ અમર કયાંથી હોય ! માટે આ જન્મનું અત્યાર સુધીનું મારું વિતવ્ય બાવક નિષ્ફળ થયું છે. આ પ્રમાણે વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યો કે, જીનેશ્વર ભગવાનનાં ચરણારવિંદનું આરાધન કરતાં અર્થાત તેમની આજ્ઞા મુજબ વર્તન કરતાં જે કીર્તિ પેદા થાય છે; તે શાશ્વત સુખને અર્થે થાય છે. માટે હવેથી મારે તેને અથેજ પ્રયત્ન કરે. જીનેશ્વર ભગવાનની આરાધના જ્ઞાની પુરૂષોએ બે પ્રકારે બતાવી છે. એક તો જીતુભૂવન, જનબિંદિ કરાવવાં, અને તેનું પૂજનઅર્ચન કરવાથી આરાધના થાય છે. અને બીજી આરાધના પાંચ મહાવ્રત પાળવાં, દુષ્કર તપશ્ચરણ અને ચારિત્ર ક્રિયાદિ કરવાથી થાય છે. પહેલી આરાધના અશાશ્વત અને વ્યાદિકને સ્વાધીન છે અને બીજી આરાધના શાશ્વત અને પિતાને સ્વાધીન છે. વિવેકી અને વિરક્ત પુરૂષોને વિશેષ પ્રકારે બીજી આરાધના કરવા લાયક છે. કેમકે ચિંતામણી રત્નની માફક દુર્લભ મનુષ્યભવ પામી, શાશ્વત સુખની પ્રાપ્તિ થાય તેવો ધમ અવશ્ય કરવો જોઈએ. જો આમજ છે તે મારે પણ દુષ્કર તપશ્ચરણા રૂપ અગ્નિજવાળા વડે, કમ વનનું દહન કરો ત્રણ ભુવનની અંદર જયપતાકા મેળવવી જ. ઈત્યાદિ વિચાર કરનાર વિજયકુમારે, યવમે રાજા પાસે ન જતાં સુસ્થિત ગુરૂશ્રી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. હે સુદર્શના! તે આહવમલે રાજાને પુત્ર વિજયકુમાર તે પોતે હું જ છું. મારા વ્રત ગ્રહણ કરવાનું નિમિત્ત પણ તેજ છે કે જે મેં તારી આગળ જણાવી આપ્યું. પરિણામની વિશુદ્ધિથી મને અવધિ જ્ઞાન
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy