SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ નામની સ્ત્રીને સોંપ્યો. તે ત્યાં મેટ થવા લાગ્યો. અહિં થોડીવારે રુકિમણએ કૃષ્ણ પાસે પુત્રને પાછો માગે, ત્યારે કૃષ્ણ કહ્યું કે હમે હમણા જ હેને લઈ ગયા છો ને ? રૂકિમણીએ કહ્યુંઃ નાથ, મને છેતરે છે શાને ? આ સાંભળી કૃષ્ણ ચમક્યા. તેમણે વિચાર્યું કે જરૂર કેઈએ દગો કર્યો છે, એમ ધારી પ્રદ્યુમ્નની સઘળે ઠેકાણે તપાસ કરાવી, પણ કયાંય પત્તો ન લાગ્યો. આખરે થોડાક વખત પછી નારદઋષિ ત્યાં આવ્યા. તેમને પૂછતાં નારદે કહ્યું –રાજન, ગભરાઓ નહિ. પ્રદ્યુમ્ન જીવતે છે અને ૧૬ વરસે તે તમારે ઘેર આવશે. રુકિમણીએ નારદને પૂછ્યું. ઋષિદેવ, મને પુત્રનો આટલો લાબ વિગ થવાનું શું કારણ ? નારદે કહ્યું –દેવી, તમે પૂર્વભવમાં મેરલીના ઈડાં રમાડવા માટે હાથમાં લીધાં હતાં, તે વખતે તમારો હાથ કંકુવાળો હોવાથી તે ઈડાં લાલચોળ (ગતાં) બની ગયાં; જેથી મોરલીએ તે ઓળખ્યાં નહિ, આખરે વરસાદ થવાથી તે ઈડી દેવાયાં, જેથી મોરલીએ ઓળખ્યાં, ને સેવ્યાં. પણ તેટલામાં ૧૬ ઘડીને સમય પસાર થયો; તેના ફળ રૂપે તમને તમારા પુત્રને ૧૬ વર્ષને વિયાગ થશે, એવું સીમંધર સ્વામીએ મને કહ્યું હતું, એમ કહી નારદ ઋષિ ત્યાંથી વિદાય થયા. પ્રદ્યુમ્ન અહિંયાં ૧૬ વર્ષને થયો, તે વખતે તેનું અથાગ રૂપ જોઈ, કનકમાળાની દૃષ્ટિમાં વિકાર ઉત્પન્ન થયે; અને તેણીએ પ્રદ્યુમ્ન પાસે પ્રેમસંભોગની માગ કરી; પિતાની ઈચ્છા તૃપ્ત કરવા કનકમાળાએ તેને ગૌરી અને પ્રજ્ઞપ્તિ એ નામની બે વિદ્યાઓ શીખવી. આ વિદ્યા મળવા છતાં પણ પ્રદ્યુમ્ન અનાચારનું સેવન કર્યું નહિ અને તે બહાર જતો રહ્યો. કનકમાળાએ સ્ત્રી ચરિત્ર કરી પ્રદ્યુમ્ન સાથે લડવા પિતાના પુત્રોને ઉશ્કેર્યા. બંને વચ્ચે યુદ્ધ થયું, તેમાં પ્રદ્યુમ્ન તેના પુત્રોને હરાવી મારી નાખ્યા. તેવામાં સમય પૂરો થયે હેઈ નારદ ઋષિ ત્યાં આવી ચડ્યા. તેમણે પ્રદ્યુમ્નને તેની માતાને
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy