SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પાસે દીક્ષિત બનાવી. પદ્માવતી દીક્ષા લઈને સખ્ત તપ, જપ,ક્રિયા કરવા લાગી. અંત સમયે એક મહિનાને સંથારે કરી, પદ્માવતી નિર્વાણપદને પ્રાપ્ત થયા. ૧૫ર પ્રદ્યુમ્ન. દ્વારિકાના શ્રીકૃષ્ણ રાજાને રૂકિમણું નામની રાણી હતી. તેને પ્રદ્યુમ્ન નામે પુત્ર થયો હતો. એકવાર અતિમુક્ત મુનિ રુકિમણુના આવાસે આવ્યા, તેમને જોઈ સત્યભામાં પણ રૂકિમણીના આવાસે આવી. બંનેએ મુનિને વંદન કર્યું. રુકિમણીએ મુનિને જ્ઞાનવંત જાણે પૂછ્યું કે મહાત્મન ! મને પુત્ર થશે કે નહિ? મુનિએ કહ્યું તમને શ્રીકૃષ્ણ જેવો મહા પરાક્રમી પુત્ર થશે. એમ કહી મુનિ વિદાય થયા. મુનિના કથનથી બંને સ્ત્રીઓ વચ્ચે વાંધો પડ્યો. સત્યભામાએ કહ્યું કે મને પુત્ર થવાનું મુનિએ કહ્યું છે, જ્યારે રુકિમણું બોલી કે મેં પ્રશ્ન પૂછે હતો, માટે મુનિએ મને જ પુત્ર થવાનું કહ્યું છે. આ વાત કૃષ્ણ પાસે પહોંચી. બંનેએ એવી શરત કરી કે જેનો પુત્ર પહેલે પરણે, તેના ઉત્સવમાં બીજીએ પિતાના કેશ આપવા. સમય જતાં બંનેએ એક એક પુત્રને જન્મ આપે. પહેલાં રૂકિમણુએ અને પછી સત્યભામાએ. રુકિમણીના પુત્રનું નામ પ્રદ્યુમ્ન પાડયું. થોડાક વખત પછી પ્રદ્યુમ્ન કુમારને પૂર્વભવને એક વરી દેવ રૂકિમણનું રૂપ ધારણ કરી પ્રદ્યુમ્નને શ્રીકૃષ્ણ પાસેથી લઈ ગ. દેવે તેને મારી નાખવાનો વિચાર કર્યો, પરંતુ તેનું આયુષ્ય લાંબુ હોવાથી, તેમજ તે ચરિમ શરીરી (છેલ્લું શરીર) હેવાથી દેવ તેને કાંઈ ઈજા કરી શક્યો નહિ, પણ તેને એક શિલા પર મૂકી તે જતો રહ્યો. એવામાં મેઘકુટ નગરના કાલસંબર નામક વિદ્યાધરનું વિમાન તે રસ્તેથી પસાર થયું. પુણ્યગે તે વિદ્યારે તેને પિતાના વિમાનમાં લીધે, અને ઘેર જઈને પિતાની કનકમાળા
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy