SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ બોધ આપ્યો. શાળીભદ્ર અને ધન્નાએ સર્વની રજા લઈ દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યા અને સંયમની આરાધનાને અંતે એક માસનું અનશન કરી ધન્ના અણગાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈમેક્ષમાં જશે. ૧૩૨ ધન્ના અણગાર. કાકડી નગરીમાં ભદ્રા નામની સાર્થવાહિનીના તે પુત્ર હતા. યૌવનાવસ્થા પામતાં તેમને ઉચ્ચ કુળની ૩૨ કન્યાઓ પરણાવવામાં આવી, અને તેઓ મનુષ્ય સંબંધીનું વિપુલ સુખ ભોગવતા હતા. એકદા ભ૦ મહાવીર તે નગરીમાં પધાર્યા. લોકોને લાહલ સાંભળી, તેઓ પણ લોકોની સાથે પ્રભુની દેશનામાં ગયા. દેશના સાંભળી તેમને તીવ્ર વૈરાગ્ય ફૂર્યો અને માતા તથા સ્ત્રી વગેરેની રજા મેળવી તેમણે દીક્ષા લીધી. ધન્નાકુમારને દીક્ષા મહોત્સવ જિતશત્રુ રાજાએ કર્યો. દીક્ષા લીધા પછી તરત જ તેમણે ઉગ્ર તપ કરી કર્મ ક્ષય કરવાનો નિર્ણય કર્યો. તેમણે પ્રભુને કહ્યું: ભગવાન, તમારી આજ્ઞા હેય તે હું આજથી જ છઠ છઠને તપ કર્યું અને પારણાને દિવસે આયંબીલ કરું અને તે એવી રીતે કે, ઘરધણીને ખાતાં વધે, તેમજ તે આહાર કોઈ પણ અતિથિને આપવાનું ન હોય, અને તે કાઢી નાખવાનો હોય એવો આહાર ભર્યા હાથે કેઈ વહોરાવે તો જ લે. ભગવાને આ પ્રકારનો તપ કરવાની તેને અનુમતિ આપી. ધન્ના અણગારે આ પ્રમાણે લાંબા વખત સુધી તપશ્ચર્યા કરી શરીરને સૂકકભુકકે (શાષવી) કરી નાખ્યું. એકવાર શ્રેણીક રાજા પ્રભુ મહાવીરને વંદન કરવા આવ્યા, તેમણે પ્રભુને પૂછ્યું –ભગવાન ! આપના ૧૪ હજાર સાધુમાં ઉત્કૃષ્ટ કરણી કરનાર કયા સાધુ છે ? ભગવાને કહ્યુંઃ ધન્ના અણગાર. શ્રેણિકે પૂછ્યું: પ્રભુ, કેવી રીતે ? વીર પ્રભુએ ધન્ના અણગારના ઉત્કૃષ્ટ તપનું વર્ણન કર્યું, તે સાંભળી
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy