SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧દ્ધ રાખ્યા. છેવટે ધજાએ સઘળી હકીકત જણાવી, આથી ભાઈઓ તથા માતા પિતા પ્રસન્ન થયા. ધન્નાએ પોતાને મળેલાં ૫૦૦ ગામેમાંથી દરેક ભાઈને ભાગ વહેચી આપ્યું. છતાં પણ દુર્જનોએ પિતાની જનતા છેડી નહિ, તેથી ધન પુનઃ રાજગૃહમાં આવ્યો. રસ્તામાં લક્ષ્મીપુરના રાજાની દીકરી ગુણાવળી તથા તેના મંત્રીની પુત્રી સરસ્વતીને તે પરણ્યો. આ ઉપરાંત તે બે શ્રેષ્ઠિવની કન્યાઓ પરણ્ય. એકંદર ધન્ને આઠ સ્ત્રીઓ પરણે; અને રાજગૃહમાં આવી સુખપૂર્વક રહેવા લાગે. એકવાર ધન્યકુમાર સ્નાન કરે છે, સુભદ્રા તેને તેલનું મર્દન કરે છે, તેવામાં એકાએક સુભદ્રાની આંખોમાંથી ઉsણ આંસુઓ ટપક્યાં અને ધન્નાના શરીર પર પડ્યા. ધનાએ ચમકીને સુભદ્રને પૂછયું–શા દુઃખે ચક્ષુઓમાં આંસુ ભરાયાં છે? સુભદ્રાએ કહ્યું –નાથ, દુઃખની વાત છે કે મારા ભાઈ થાળીભદ્રને વૈરાગ્ય થયો છે અને તે દરરોજ એક એક પત્નીને ત્યાગ કરે છે, એ રીતે ૩ર દિવસે ૩૨ સ્ત્રીઓનો ત્યાગ કરીને તે દીક્ષા લેશે, એ દુઃખે હું રડું છું. ધન્નો સંસારની અસારતાના તરંગે ચડ્યો. વિચાર કરી તે બેડ-પ્રિયા, શાળીભદ્ર રોજ એકેક સ્ત્રી ત્યાગે, એ તો કાયરતાની નિશાની કહેવાય. સુભદ્રા બેલી –નાથ, કહેવું સહેલું છે, પણ કરવું અઘરું છે. ધન્નાએ કહ્યું –લે, ત્યારે, મેં આજથી મારી આઠેય સ્ત્રીઓને ત્યાગી. હું હવે દીક્ષા લઈશ. સુભદ્રા બેલી-નાથ ! એકાએક આમ ન થાય. “વીર પુરૂષનું વચન મિથ્યા ન થાય” એમ કહી ધન્ની ઉભે થે. કપડાં પહેર્યા, અને શાળીભને દ્વારે જઈ તેને વૈરાગ્યને
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy