SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન પૂર્ણ સાધન હેય. હવે પોતાની ઉન્નતિનાં સાધનો ન હોય તેવાને પરદેશને સંબંધ તોડવો ન પાલવે તેમ અહીં આત્માને પુદ્ગલને સંબંધ જડરૂપ છે તે તેડવે કયારે પાલવે ? તારા આત્મામાં બધી ચીજો સ્વતંત્ર હોય તે જ પાલવે, નહિ તે ઊલટી રીતે ઘેરાવાના સ્થિતિમાં આવે. માટે કહે છે કે આત્મા સંપૂર્ણ સામગ્રીવાળો છે. જગતની અંદર જે સામગ્રી જોઈએ તે સર્વ છે-જગતમાં જાણવું, દેખવું અને તેને ઉપયોગમાં લઈ ભોગવટે કર-આ જગતમાં પુદ્ગલ દ્વારા આ ત્રણ વસ્તુની ઉપયોગિતા ગણતા હે તે પછી પુદ્ગલનો સંબંધ તોડવાથી, જાણવા, જોવા અને ભોગવવાની સ્થિતિથી બેનસીબ રહે, પણ હવે આત્મામે સ્વતંત્ર તાકાત જાણવા જોવા કે ભોગવવાની ન હોય તે પુલનો સંબંધ છેડી નિરાધાર સ્થિતિમાં રહેવું ન પાલવે. પણ અહીં નિશ્વર મહારાજ ફરમાવે છે કે-તું જગતમાં જે જાણવા, જેવા માગે છે તે તારી આંખ પહોંચે તેટલું તું જાણીશ, કારણ કે આંખથી જોવું તે ઓગળ પ્રમાણે છે, પણ તારા આત્મામાં રહેલ કેવલજ્ઞાનના ખજાનાથી તું જેવા ભાગે તે આખા લોકાશને જોઈ શકે. ચક્ષુધારા જે જોવાય તે અમુક જોજન પણ અસંખાતાં નહિ. હવે તારો આત્મા સ્વતંત્ર બને. પુદ્ગલની અપેક્ષા ન રાખે તે તેથી જોવાની તાકાત અનંતગુણ આત્મામાં મળે છે. • ભોગવ્યા વિના જાણ્યા અને જોયાની કિંમત શી? હવે જાણવા, જેવાનું બંધ તે તમાસગીર પણ કરે છે. રાજાની રીતિ, સ્થિતિ કે ઋદ્ધિઓ જાણવા છતાં તે ભગવટામાં આવતી જ નથી. તેથી જાણવા અને જેવા છતાં પણ જે ભોગવટામાં ન આવે તેની કિંમત આપણે ગણતા નથી. કેઈ કોટયાધિપતિના ઘરે ક્રોડ રૂપિયા જેવા છતાં તે ભગવટામાં ન આવે. તેમ અહીં જગતના અનંતા પદાર્થો કેવલજ્ઞાનથી જાણીએ, કેવલદર્શનથી દેખીએ છતાં ભોગવટામાં ન આવે તે જાણ્યા અને જયાથી બળતરા થાય. કુંવારીને રડવાનું ન હોય, પરણેલીને રડવાનું થાય. તેમ અહી
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy