SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રેવીસમું ]. અધ્યયન ૪ : સમ્યક્ત્વ ૨૫ ટોળામાં બેસવા જ ન દેવે? હવે ખરું કામ કયાં છે ? બહાર. શાસ્ત્રકાર કહે છે કે—ધર્માનુકાનોમાં કે ધર્મસ્થાનોમાં જેમ ભવસંબંધી વિચાર આવે તે સારા છે, કાઢી નાખવા જેવી નથી, પણ તે ચોવીસે કલાક ચેટી જવા જોઈએ; કારણ કે જે જીવ સમ્યગ્દષ્ટિ થયો તે વૈમાનિક સિવાય બીજું આયુષ્ય બાંધે જ નહિ. હવે આયુષ્ય બાંધવાને નિયમ નથી, કારણ કે જેમ મરણનો નિયમ નથી. અર્થાત મરણને અંગે મનુષ્યને નિયમ નથી, તેમ પરભવનું આયુષ્ય કયા ટાઈમે બાંધે તેનો નિયમ પણ નથી. ગમે તે પ્રવૃત્તિએ તે આયુષ્યને બાંધી શકે છે. હવે આયુષ્ય બાંધવાનો નિયમ નથી તો જેમ હલ્લો અમુક સરહદે આવશે એ નિયમ ન હોય તો તૈયારી ચારે તરફ રાખવી પડે. ઈગ્લાંડની ચારે તરફ દરિયે છે એટલે કાંઠે તૈયારી રાખવી પડે જ. ઈરાન, અફઘાનિસ્તાન આદિ દેશને કિલ્લેબંધી કે બચાવ દરેક સરહદ પર રાખવાં પડે. તેમ અહીં પરભવનું આયુષ્ય બાંધવાને હલ્લે ક્યા ટાઈમે કઈ પ્રવૃત્તિએ આવશે તેને નિયમ નથી. અનિયમ છે, તે પછી તેની તૈયારી સર્વ કાળે અને સર્વે પ્રવૃત્તિએ રાખવી જ જોઈએ. એમ છે તે સમકિતદષ્ટિ જીવ માનિક સિવાયનું આયુષ્ય ન બાંધે એ નિયમ કેમ ? તે કહે છે કેસમકિતદષ્ટિ જીવની લેમ્યા એટલે પરિણામ બગડવાવાળા ન જ હોય. સમકિતદષ્ટિ જીવના આયુષ્યને બંધ પર્વતિથિને આરાધનારના પરિણામ સારા જ હોય છે. જેમ ત્રીજે લીલોતરી આદિ હાથમાં લઈને પૂછે કે આજે બીજા તે નથી ને ? તેમજ ચોથે લીલોતરી ખાતાં વિચારે કે પાંચમ આજ નથી પણ કાલે છે, એટલે કાલે લીલોતરી નહિ ખાઈએ. આવા પરિણામ થાય છે અને તેથી રાઓમા રહેતા નથી. આવી રીતે દસ તિથિની આરાધના કરનારને પ્રથમ અને પછીના દિવસના અંગે પરિણામની તીવ્રતા રહે છે કે-તિથિ હેય તે ન કરીએ. તિથિ હશે તે નહિ
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy