SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન . પ્રમત્ત, અપ્રમત્તદશા અને યોગ સર્વ જગ્યાએ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એ ત્રણ જ કહે, પણ ગુણઠાણાની અપેક્ષાએ પ્રમત્ત અપ્રમત્તદશાની અપેક્ષાએ વિચારે છે ત્યારે એમને પણ કર્મબંધનું કારણ માને છે. દસમે ગુણઠાણે કવાયને ક્ષય માને છે અને અગિયારમે ગુણઠાણે પણ કર્મબંધ તે માને છે ને ? તે કહે છે કે પ્રથમના મિથ્યાત્વાદિ ન હેય પણ વેગનું ચલન થાય એટલે આત્માને સ્થિરતા ભાવ ન રહ્યો તેથી કર્મબંધ થાય. આને આ જ જીવ અને આને આ જ શિવ આવી રીતે કર્મબંધના કારણે સમજાવ્યા છતાં મિથ્યાત્વ તે જીવના ઘરનું કે જડના ઘરનું તેવી જ રીતે સમ્યફ કોના ઘરનું ? જડના ઘરનું મિથ્યાત્વ કહો તે તે જીવને કેમ હોય, અને જીવના ઘરનું હોય તે તે સિદ્ધને જ હોય ? અહીં મથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને વેગ તે પણ જીવના ઘરનાં કે જડના ઘરના ? તેને માટે કહે છે કે વાત ખરી, પણ જે સ્વરૂપે સત્ત્વ અને પરરૂપે અસત્ત્વ માનનારા છે તેમને આ ચાર માનવામાં વાંધો નથી. જીવ કર્મસહિત હોય ત્યારે તે સંસારીપણે અસત અને સિદ્ધપણે સત થાય. સ્વપરભાવે કરી એટલે સ્વપણાની અપેક્ષાએ મિથ્યાત્વાદિ સહિત હોય ત્યારે કર્મબંધ છે. સિદ્ધદશાએ જશે ત્યારે મિથ્યાત્વાદિની અપેક્ષાએ કર્મબંધપણું નહિ રહે. આને આ જ જીવ અને આને આ જ શિવ. વસ્તુને સામાન્ય વિશેષ સ્વરૂપથી ઓળખે ! અહીં કર્મબંધ કેમ કે સંસારમાં છવરૂપે કમનું અસત્ય અને સિદ્ધપણુમાં વરૂપે સત્ત્વ, આવી રીતે સ્વરૂપે સત્ત્વ અને પરરૂપે અસત્ત્વ માનવામાં આવે ત્યારે જ બંધના હેતુઓ મનાય. તે બીજા રૂપે સત્તવ અને બીજા રૂપે અસત્વ હેય તે જીવ અજીવ બને અને અજીવ તે
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy