SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ એકાવનમું 1 અધ્યયન ૪ઃ સમ્યફવ - ૨૬૩ ઊભા ને ઊભા સૂકાય ! મલ્લિનાથજીનો પ્રથમ ભવ વિચારે ! તેઓએ છની સાથે દીક્ષા લીધી. પોતે મેટા છે. વિચાર આવ્યો કે મારી મોટાઈ રહેવી જોઈએ. તે ઘટવી ન જોઈએ. તે આવતા ભવે કેમ રાખવી? ઘણે વધુ ધર્મ આ બધા કરતાં કરું તે તેમ બને. ધર્મ કર કેવી રીતે ? પ્રથમ છએની પ્રતિજ્ઞા છે કે બધાએ સરખું કરવું પણ મારે અહી અધિક ધર્મ તારૂપ કરે છે. અહીં લૂંટવાનું નથી. જર, જમીન કે જેરૂ નથી જોઈતી, માત્ર ધર્મગ્રહણ અધિક કરવું છે. પ્રતિજ્ઞા પણ છે, છતાં રસ્તો કાઢો કે પારણના દિને મને આજે ઠીક નથી, માટે નથી વાપરવું એમ કરી પારણું ન કરે અને બીજે દિવસે પેલા લોકોની સાથે ઉપવાસ કરે એટલે અમો કરે છે. શાસ્ત્રકાર આનું નામ માયા કહે છે. એ માયાએ મલ્લિનાથના જીવને મિથ્યાત્વમાં લઈ જઈ વેદ બંધાવ્યો. આવી ધર્મરૂપી માયા પણું સ્ત્રીવેદ બંધાવે, તે પછી બીજી માયા શું ન કરે ? કહે કે જુલમ ? અહીં ઠગીને તપ કર્યો તેમાં પ્રથમ ગુણસ્થાનકે પટકાયા. સ્ત્રીવેદ બાંગે કહે અહીં સમ્યકત્વ, વિરતિ છતાં આ કવાયના પરિણામે નીચ દશાએ આવ્યા. ધર્મના ઉપકરણના લાભનું પરિણામ એવી રીતે લેભને અંગે વિચારે શાસ્ત્રકાર કહે છે કે અગિયારમે ગુણઠાણે સાધુ ચડ્યા છે. તેમાં કયો લોભ કર્યો કે જેના પ્રતાપે આવીને પ્રથમ ગુણસ્થાનકે. પટકાયા. “ભારે મુહપત્તિ સારી જોઈએ. દાંડો સારે જોઈએ ” આવા મમત્વભાવના પ્રતાપે અગિયાર માંથી પટકાય, તે પછી બીજા લોભની તે વાત જ શી કરવી ? ધર્મનાં ઉપકરણને અંગે કરેલે લેભ આમ કરે, તે પછી મિથ્યાત્વ અવિરતિ ટાળ્યા છતાં કપાયરૂપી કાકાને ને ટાળે તે અંતે મોચીડાને મેચડે રહે.
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy