SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના ૨૩૫ ભાવ પણ મલિન બનીને ઔદયિક ભાવને જ પુષ્ટ કરનાર બને છે. ઔદયિક ભાવનું જોર ઘટ્યા પછીથી જ પ્રશસ્ત ક્ષાશમિક ભાવ પ્રગટી શકે છે અને પ્રશસ્ત ક્ષાપથમિક ભાવને જે જાળવતાં આવડે, એ ઔદયિક ભાવ ઉપર અંકુશની ગરજ સારે છે. પ્રશસ્ત ક્ષાપથમિક ભાવને આત્મા જે વળગ્ય રહે છે, તો પ્રશસ્ત લાપશમિક ભાવ વધતે વધતે આત્માને એ ક્ષાયિક ભાવને પામવામાં બહુ મદદગાર બને છે. એટલે જયકુંજરની પ્રસિદ્ધિ જ જે આકર્ષે-ગમે, તે સમજવું કે–એ પ્રતાપ ઔદયિક ભાવને છે અને શ્રી ભગવતીજી સૂત્રની પ્રસિદ્ધિ જે આત્મકલ્યાણની દષ્ટિએ ગમી જાય, તે સમજવું કે એ પ્રતાપ પ્રશસ્ત ક્ષાપશમિક ભાવને છે. ધન-સ્ત્રીમાનાપમાન સંબંધી ભાવે ઔદયિક ભાવના ઘરના છે અને એ બધાના સંસર્ગથી છૂટવાના ભા, એ બધાના સંસર્ગથી ક્યારે છૂટાય તથા કેમ છૂટાય-એ વિગેરે ભાવે એ પ્રશસ્ત લાયોપથમિક ભાવના ઘરના છે. ઔદયિક ભાવેને ગૌણ બનાવીને, પ્રશસ્ત ક્ષાપશમિક ભાવને વળગતા જવું જોઈએ. એને બદલે આજે તે મોટે ભાગે ઔદયિક ભાવની રમણતામાં જ રમણીયપણું ભાસે છે. પ્રશ્ન- પ્રશસ્ત ક્ષાપશમિક ભાવ ક્યારે હય? પ્રશસ્ત ક્ષાપશમિક ભાવની શરૂઆત સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણથી મનાય, પરંતુ મન્દ મિથ્યાત્વના કાળમાં પણ ક્ષાપશમિક ભાવની પ્રશસ્તતાની ઝાંખીને અનુભવ થઈ શકે છે. આ પ્રશ્ન પ્રશસ્ત લાયોપથમિક ભાવની ઉચ્ચ કક્ષા કયી? દર્શનમોહનીયના ક્ષપશમ પછીથી ચારિત્રમેહ
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy