SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન વખતે પણ ઔદયિક ભાવમાં રમતા હોય તે તેને જે ક્ષાપશમિક ભાવ હોય, તે ય અપ્રશસ્ત પ્રકારને હેય. શ્રી જિનની પૂજા માત્ર દેરાસરમાં જ કરવાની છે, એવું નથી. આમ સ્થાનને આશ્રયીને શ્રાવકને માટે ત્રિકાલ પૂજા કહી; બાકી છે, ક્ષણે ક્ષણે પ્રત્યેક ક્ષણે શ્રી જિનની પૂજા થાય, એવા બનવાને પ્રયાસ કરે જઈએ. શ્રી જિનની આજ્ઞાનું પાલન તે શ્રી જિનપૂજા છે જ, ઉત્કૃષ્ટ પ્રકારની શ્રી જિનપૂજા છે, પરંતુ શ્રી જિનની આજ્ઞાનું પાલન કરવાના ભાવમાં રમવું, એ ય શ્રી જિનપૂજા છે. કયો ક્ષણ એ છે, કે જ્યારે શ્રી જિનનું તાન ન હોઈ શકે, એ નિષેધ છે ? શ્રી જિનતાન સર્વ ક્ષણોએ થઈ શકે. એમ શ્રી જિનતાનમાં જ એકતાન થઈ જવું એ વેધકતા છે. એવી રીતિએ જે શ્રી જિનતાનમાં વિધાયે, હેય, તે કર્મોને વેધક બને. એ મનુષ્ય આ માનવભવમાં રાધાવેધ કરી, કર્મના લાળાને શમાવી, દુઃખના ગાળા વગરના સુખને ભક્તા બની શકે છે. આપણે પ્રશસ્ત ક્ષપશમ ભાવને પિષવાને માટે અને પરિણામે ક્ષાયિક ભાવને પ્રગટ કરવાને માટે શ્રી જિનેશ્વર પ્રભુને યાદ કરીએ છીએ. શ્રી જિનપૂજા પણ તમારે આવા લક્ષ્યપૂર્વક કરવાને માટે મથવું જોઈએ. ઓયિક ભાવને ગૌણ બનાવીને પ્રશસ્ત ક્ષાપશમિક ભાવને વળગતા જવું જોઈએ? સંસારમાં શિષ્ટ ક્ષયે પશમ ભાવ કઠિન છે, તેમાં ય પ્રશસ્ત ક્ષપશમ ભાવ અતિ કઠિન છે અને ક્ષાયિક ભાવ તો તેનાથી ય કઠિન છે. ઔદયિક ભાવ તે રસ્તામાં હરતાં ફરતાં મળનારી ચીજની માફક સસ્ત છે. ઔદયિક ભાવના જેરે ક્ષાપશમિક
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy