________________
વધારે ગ્રાહ્ય જણાય છે. કારણકે પ્રતિભા જ જન્મજાત નવનવોલ્લેખશાલિની શક્તિ છે; જ્યારે વ્યુત્પત્તિ અને અભ્યાસ વસ્તુતઃ પ્રયત્નસાધ્ય કુશળતાઓ છે. પ્રતિભા વિના વ્યુત્પત્તિ અને અભ્યાસ પાંગળાં છે. એટલે જ આચાર્યશ્રી સ્પષ્ટ કહે છે કે :
તે હિ પ્રતિમાહીન વિતી ગુFાસી . (૧.૭ની વૃત્તિ, પૃ.૬)
કાવ્યના કારણની ચર્ચા કરતાં રાજશેખરે(કા. મી. અ. ૪) કાવ્યના મૂળ કારણ તરીકે “શક્તિનો ઉલ્લેખ કર્યો છે. આ શક્તિ જન્માન્તરના સંસ્કારવિશેષરૂપ છે. તેમાંથી જ પ્રતિભા ઉત્પન્ન થાય છે. એ જ કાવ્યની જનની છે. આ પ્રતિભા બે પ્રકારની છે - કારયિત્રી અને ભાવયિત્રી. કવિની પ્રતિભા કારયિત્રી છે જયારે કાવ્યના ભાવક કે વિવેચકની પ્રતિભા ભાવયિત્રી છે. આ રીતે કવિત્વ અને ભાવકત્વ બે અલગ પ્રવૃતિઓ છે. વામને (ઈ.સ.૮૦૦) પણ પ્રતિભાને કવિત્વનું બીજ કે મૂળ કારણ માન્યું છે ને પ્રતિભા વિનાના સર્જનને અફળ માન્યું છે(કા.અ.વૃ.૩.૧૬). શિક્ષા કે કવિશિક્ષાઃ વ્યાખ્યા અને વિવરણ
શિક્ષા એ સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો પારિભાષિક શબ્દ છે. આથી, સંસ્કૃત અલંકારશાસ્ત્રના ક્ષેત્રમાં શિક્ષા'ની જે સુપરિચિત વિભાવના છે તેને લક્ષમાં રાખીને, શ્રી હેમચંદ્રાચાર્ય દસમા સૂત્ર(૧.૧૦)માં શિક્ષાની વ્યાખ્યા કરે છે, અને પછી, વૃત્તિમાં તથા વ્યાખ્યામાં, ગ્રંથનાં લગભગ વીસ પૃષ્ઠ(પૃ. ૧૩-૩૩) રોકતી, વિસ્તૃત ચર્ચા હાથ ધરી, શિક્ષાની સોદાહરણ, વિશદ સમજૂતી આપે છે.
અભ્યાસ(સૂ.૯)ની વ્યાખ્યામાં ‘શિક્ષયા એટલે કે ‘શિક્ષા પ્રાપ્ત કરીને એમ કહ્યું હતું, તેથી પ્રથમ શિક્ષા શું છે તે દસમા સૂત્રમાં કહે છે :
सतोऽप्यनिबन्धोऽसतोऽपि निबन्धो नियमश्छायाधुपजीवनादयश्च fશક્ષા: I (૧.૧૦)
અર્થાત્ “૧. વસ્તુ ખરેખર હોય છતાં (કાવ્યમાં તેનું આલેખન ન કરવું, ૨. વસ્તુ ખરેખર ન હોય તો પણ તેનું (કૃતિમાં) વર્ણન કરવું, ૩. કોઈ વસ્તુ દરેક ઠેકાણે હોય તો પણ તે અમુક જ ઠેકાણે છે એવો (તેને માટેનો) નિયમ કરવો અને ૪ (બીજા કવિની રચનાના ભાવ, શબ્દ વગેરે વસ્તુનું) છાયા વગેરેની ઢબે અવલંબન (ઉપજીવન) કરવું વગેરે પ્રકારને શિક્ષા (શિક્ષણ) કહે છે.”
આમ, શિક્ષામાં બે વિષયોનો સમાવેશ થાય છે - ૧. કવિસમય અને ૨. અગાઉના કવિઓની રચનાઓના શબ્દ, ભાવ, કલ્પના આદિનું ઉપજીવન,
૪૬