SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૩/૫ થી ૩/૯ સુધી સંઘટનાની ચર્ચા દરમ્યાન આનંદવર્ધન, ગુણ અને સંઘટનાનો સંબંધ સમજાવે છે. આનંદવર્ધને રીતિ’ને માટે સંઘના શબ્દ પ્રયોજ્યો છે. કાવ્યનો આત્મા “રીતિ’ છે એમ માનનાર વામન મુજબ વિશિષ્ટ પદરચનાનું નામ “રીતિ છે. પદરચનાનું વૈશિશ્ય તેની ગુણાત્મકતા છે. રીતિ ત્રણ પ્રકારની છે. વૈદર્ભી, ગૌડી, પાંચાલી સમયની બાબતમાં મતભેદ હોવાથી ભામહ પહેલા કે દંડી પહેલા તે અનિશ્ચિત છે. પણ એટલું તો નક્કી છે કે બન્ને ગુણ અને રીતિને જાણે છે. ભામહ ત્રણ ગુણ સ્વીકારે છે, માધુર્ય, ઓજસૂ પ્રસાદ. જ્યારે દંડી શ્લેષ, પ્રસાદ વગેરે દસ ગુણ સ્વીકારે છે. ઠંડી રીતિને માટે માર્ગ” એવું નામ આપે છે. વિદર્ભમાર્ગ અને ગૌમાર્ગ એમ બે રીતિને તે જાણે છે. ઠંડી દસેય ગુણની ચર્ચા આ માર્ગોના સંદર્ભમાં કરે છે. તથા બે વચ્ચે ભેદ પાડે છે. ભામહ આ બેનાં નામ જાણે છે પણ તેનો સ્વીકાર કરતા નથી. તે “માર્ગ” શબ્દ પણ પ્રયોજતા નથી. તે લખે છે. वैदर्भमन्यदस्तीति मन्यन्ते सुधियोऽपरे । - तदेव च किल ज्यायः सदर्थमपि तापरम् ।। गौडीयमिदमेतत्तु वैदर्भमिति किं पृथक् ।। માતાનુતિન્યાયાવાયેય પામ્ II (ાવ્યા ૪-/૨૨, રર.) આ બે નામ વિદર્ભ અને ગોડ નામના દેશ (પ્રદેશ)નાં નામ પરથી પડ્યાં છે. દેશભેદને આધારે રીતિ’ શબ્દનો પ્રયોગ કરનાર અને તેનો વિસ્તારથી વિચાર કરનાર, વામન પ્રથમ આચાર્ય છે. વામને ગુણાત્મક પદરચનાનું નામ રીતિ રાખીને ગુણ અને રીતિ બન્નેના સંબંધ તરફ ઈશારો કર્યો છે. વિભિન્ન રીતિઓના લક્ષણમાં પણ ગુણોનો ઉલ્લેખ કર્યો છે. રીતિ સંપ્રદાયમાં પ્રતિષ્ઠાપક આચાર્ય વામન ત્રણે રીતિઓનાં આમ લક્ષણ આપે છે. (૧) જેમાં કોષની માત્રાઓનો બિલકુલ સ્પર્શન હોય, જે સમસ્ત ગુણોથી ગુંક્તિ હોય અને જેને વીણાના સ્વરનું સૌભાગ્ય પ્રાપ્ત હોય તેને હૈદર્ભી રીતિ કહે છે. (૨) જેમાં શિથિલતાનો ભાવ હોય, જે પુરાણી છાયાવાળી હોય અને મધુર તથા સુકુમાર હોય તેને કવિઓ પાંચાલી રીતિ કહે છે. (૩) માં સમાસગર્ભિત અત્યં-ઉત્કટપદ હોય જે ઓજ અને કાંતિથી સમુશ્વિત હોય, તેને ગોડી રીતિ કહે છે. - , " માધને તૃતીય ઉદ્યોતની આ કાસ્કિાઓ અને તેના વૃત્તિભાગમાં સંઘટનાની ચર્ચા કરી છે. * - - - - અમારા સમાન મરયમેન મૂવિ " तथा दीर्घसमासेति त्रिधा साटनोदिता ॥ Tળાના શિક્ષકની માલિકીનું મતવિક ર : * સા-રિમે રોજિત રાયની (૩/૫,૬)
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy