SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ વન્યાલોક અર્થાત્ સમાસરહિત, ઓછા સમાસથી ભૂષિત તથા દીર્ધસમાસવાળી, ત્રણ પ્રકારની સંઘટના બતાવાઈ છે. માધુર્ય વગેરે ગુણોનો આશ્રય લઈને રહેનારી તે સંઘના રસોને અભિવ્યક્ત કરે છે. તેના નિયમનમાં વક્તા અને વાચ્યનું ઔચિત્ય, હેતુ હોય છે. આનંદવર્ધને કહેલી ત્રણ સંઘટના અનુક્રમે વિદર્ભો, પાંચાલી અને ગૌડીનાં જ નામ છે. આનંદવર્ધને બે મુદ્દા ઉપસ્થિત કરી તેની ચર્ચા કરી છે. ગુણ અને સંઘના વચ્ચે શું સંબંધ છે? તથા સંઘટના અને રસ વચ્ચે શું સંબંધ છે? ગુણ અને સંઘટનાનો સંબંધ દર્શાવતાં આનંદવર્ધન બે શક્યતાઓ રજૂ કરે છે. (૧) ગુણ અને સંઘટના બેય એક જ વસ્તુ છે. અર્થાત્ ગુણોનું જ બીજું નામ સંઘના રાખવામાં આવ્યું છે. (૨) તે બન્ને એક બીજાથી જુદા છે. આમ માનીએ તો તેને બે રીતે ઘટાવી શકાય. કાં તો સંઘટના ગુણોની આશ્રિત છે કે ગુણ, સંઘટનાના આશ્રિત છે. આનંદવર્ધનના જ શબ્દોમાં તેમની “ચીતિઃ' જોઈએ તો “જુનાશ્રય સfટના, પટનાયા વા કુળ” સંઘટના અને રસ વચ્ચેના સંબંધ બાબતમાં આનંદવર્ધન કહે છે કે સંઘના અભિવ્યંજક અને રસ અભિવ્યંગ્ય હોય છે. કે છઠ્ઠી કારિકામાં કહ્યું છે કે સંઘના, માધુર્ય વગેરે ગુણોનો આશ્રય લઈને રસોને અભિવ્યક્ત કરે છે. સંઘટના અને ગુણના ઉપર દર્શાવેલ વિકલ્પના સંદર્ભમાં છઠ્ઠી કારિકાને ત્રણ રીતે સમજાવી શકાય. . (૧) બન્ને એક છે એમ માનીએ તો અર્થ - “સંઘના આ ગુણોનો આશ્રય લઈને રસોને અભિવ્યક્ત કરે છે. જે ગુણ સંઘટનાનો આત્મા જ છે.” . (૨) સંઘટનાને આશ્રયે ગુણ રહે છે એમ માનીએ તો અર્થ, “ગુણોનો આશ્રય લઈને રહેનારી સંઘ ના, રસોની વ્યંજના કરે છે. જે ગુણ સંઘટનાના આધેય હોય છે. (૩) સંઘરના રસોની વ્યંજના કરે છે, કે જે સંઘટના ગુણને આશ્રયે રહે છે. - આનંદવર્ધન એમ માનતા હોય તેમ લાગે છે કે ગુણ એક વસ્તુ છે અને સંઘના બીજી વસ્તુ છે. તસ્માદિ ગચા ર સદના | નર સદનાગિતા : ફત્યે નવ ગુણ સંઘટનાને આશ્રિત હોતા નથી. જો આપણે એમ માનીએ કે ગુણ અને સંઘટના બન્ને એક જ તત્ત્વ છે અથવા ગુણ સંઘટનાને આશ્રયે રહે છે તો સંઘટનાના સમાન ગુણોમાં પણ અનિયત વિષયતા આવી જવાનો દોષ થશે. આપણે જોઈ શકીએ છીએ કે ખાસ ગુણ ખાસ રસ દરમ્યાન જોવા મળે છે. અમુક જ ગુણ અમુક રસને પોષે છે. માધુર્ય અને પ્રસાદની અધિકતા કરુણ અને વિપ્રલંભ શૃંગારના વિષયમાંજ હોય છે. ઓજસ્ ગુણનો વિષય રોદ્ર, અદ્ભુત રસ હોય છે. ગુણોના વિષયનો નિયમ વ્યવસ્થિત છે. શૃંગારમાં પણ દીર્ઘ સમાસવાળી સંઘટના જોવા મળે છે. રોદ્ર વગેરેમાં સમાસહિત સંઘટના જોવા મળે છે. સામાન્ય નિયમ પ્રમાણે શૃંગાર
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy