SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૨. વિરોધી રસોનો પરિહાર આનંદવર્ધને ધ્વન્યાલોક ૨/પની વૃત્તિમાં વિરોધી રસ અંગે સંક્ષેપમાં નિર્દેશ ર્યો છે. ક્યો રસ, બીજા ક્યા રસનો વિરોધી છે તથા ક્યા સંજોગોમાં તેમની વચ્ચે વિરોધ ગણાતો નથી. વિરોધ કેવી રીતે દૂર કરી શકાય છે તે વિષે અલંકારિકોએ સ્પષ્ટતા કરી છે. કેટલાક રસ એવા હોય છે. જેનું સાથે સાથે વર્ણન કરી શકાતું નથી. શૃંગાર રસનો કરુણ, બીભત્સ, રોદ્ર, વીર અને ભયાનક રસો સાથે વિરોધ માનવામાં આવેલ છે. કરુણ અને શૃંગારનું એક સાથે વર્ણન કરી શકાતું નથી. લક્ષણો દસ્તાવ ત... ઈ. (૨ /પની વૃત્તિનો શ્લોક)માં કરુણ અને શૃંગારનું વર્ણન છે. તેના સમાધાન માટે આનંદવર્ધને “પત વ {ષ્યવિપ્રમ-ફાયોઃ ક્રત્વેને વ્યવસ્થાનાત્ સમાવેશો ને ટોષઃ | વાક્ય વૃત્તિમાં લખ્યું છે. કેટલાક રસોનું આલંબન એક હોય તો દોષ આવે છે. જેને અવલંબીને ભાવ જાગે તે આલંબન કહેવાય છે. જેમકે રામના રતિભાવ માટે સીતા આલંબન છે. જેના હૃદયમાં ભાવ જાગે તે આશ્રય કહેવાય છે. રામના રતિભાવનો રામ પોતે આશ્રય છે. કેટલાક રસોનો આશ્રય એક હોય તો દોષ આવે છે. કેટલાક રસોની નિરંતરતા વિરોધજનક છે. એટલે કે અમુક રસ પછી તરત બીજો રસ વર્ણવવાથી દોષ આવે છે. શૃંગાર અને વીરના અલંબન-ઐક્યથી વિરોધ છે. એક જ આલંબન વિભાવથી શૃંગાર અને વીરરસ બન્નેનો પરિપોષ થઈ શકતો નથી. એ રીતે હાસ્ય, રૌદ્ર અને બીભત્સની સાથે સંભોગ શૃંગારનો તથા વીર, કરુણ, રોદ્ર વગેરેની સાથે આલંબન એક્યથી વિરોધ છે. વીર અને ભયાનકરસનો આશ્રય ઐક્યથી વિરોધ છે. આશ્રય તરીકે રહેલ એક વ્યક્તિમાં, એકી સાથે વીર અને ભયાનકના સ્થાયિભાવ-ભય અને ઉત્સાહ, જાગી શકતા નથી. શાન્ત અને શૃંગારરસનું નિરન્તર્ય વિરોધજનક છે. આ રસ એક બીજાના વિરોધી યા શત્રુ છે. પણ શંગારનો અભૂતની સાથે, ભયાનકનો બીભત્સની સાથે, વીરનો અદ્ભુત તેમજ રોદ્રરસની સાથે કોઈ રીતે વિરોધ નથી. તેથી તેને મિત્રરસ કહેવામાં આવે છે. વિરોધી રસોનો પરિહાર નીચેના ઉપાયોથ થઈ જાય છે. જો વિરોધી રસોનું વર્ણન સ્મરણાત્મક હોય અથવા બન્નેનું સમભાવથી અર્થાત્ ગુણપ્રધાન ભાવરહિત વર્ણન હોય કે બન્ને જો કોઈ ત્રીજાના અંગરૂપમાં વર્ણવેલ હોય આ ત્રણ અવસ્થાઓમાં કહેલા વિરોધી રસોનું એક સાથે વર્ણન દોષરૂપ નથી. લક્ષણો હતાંવતમ... ઈ. શ્લોકમાં કરુણ અને વિપ્રલંભ શૃંગાર બને, ઉત્સાહથી પોષાયેલ ભગવવિષયક રતિ (ભક્તિ)નાં અંગ છે. તેથી તેનું એક સાથે વર્ણન દોષજનક નથી.' १. आचार्य विश्वेश्वरसिद्धान्तशिरोमणि संपादित ध्वन्यालोक पृ. ८९, ९०.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy