SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વન્યાલોક પૂર્વપક્ષ (શંકા) –જો તમે ભક્તિને ધ્વનિના ઉપલક્ષણ તરીકે સ્વીકારો છો તો તે લક્ષણ પણ કહેવાશે. તેને પણ સ્વીકારવું પડશે. કેમકે લક્ષણ અને ઉપલક્ષણ બન્નેનો હેતુ સરખો છે. બન્નેનો હેતુ ‘» વર્તક બનવું’, ‘જુદા પાડવું’ એવો છે. ઉત્તરપક્ષ (સમાધાન) – આમ છેલ્લી હદ સુધી દલીલોને ખેંચવામાં આવે તો તે અલંકારને પણ લાગુ પડે છે. - આમ સમર્થ દલીલોથી આનંદવર્ધને, ભાતવાદીઓની દલીલોનો રદિયો આપ્યો છે. અનિર્વચનીયવાદીઓનો મત અને તેનું ખંડન : કેટલાક લોકોની બુદ્ધિ લક્ષણ કરવામાં એટલી સુકુમાર છે કે તેઓ ધ્વનિના તત્ત્વને વાણીની શક્તિથી પર સહૃદય- હૃદય- સંવેધમાન જ બતાવે છે. તેઓ માને છે કે ધ્વનિ અનિર્વચનીય છે, અલક્ષણીય છે, અનાખ્યેય છે. આમ કહેનારા અનિર્વચનીયવાદી છે, અશકચ-વક્તવ્યવાદી છે. ન ાયતે વયિતુમ્ ાિ તવા સ્વયં તવન્તઃ રળેન વૃદ્ઘતે । એમ તેઓ માને છે. ર તક્ષનેડગ્યેઃ તે ચાહ્ય પક્ષસંસિદ્ધિોવ નૈઃ । . ૧/૧૯ અર્થાત્ ‘બીજા લોકોએ ધ્વનિનું લક્ષણ કરી દીધું છે તો અમારા પક્ષની સિદ્ધિ જ છે.’ આ કારિકામાં તથા તેના વૃત્તિભાગમાં અનિર્વચનીયવાદીઓને આનંદવર્ધને જવાબ આપ્યો છે. ધ્વનિને અનિર્વચનીય કહેનાર પરીસ્થવાવિનઃ નથી, સમજીને બોલ્યા નથી. કેમકે ધ્વનિ વિષે (આ ગ્રંથમાં) અમે કહ્યું છે અને આગળ ઉપર પણ દર્શાવીશું તેનાથી ધ્વનિના સામાન્ય અને વિશેષ લક્ષણો જણાવી દીધા પછી પણ જો એમ કહેવામાં આવે કે ધ્વનિનું પ્રકથન થઈ શક્યું નથી. એવું તો પછી બીજા વિષયો માટે પણ કહી શકાશે. ઉપસંહાર : આ રીતે આનંદવર્યનાચાર્યે ધ્વનિ વિરોધી મતોની ચર્ચા, સમીક્ષા કરી તેનું ખંડન કર્યું છે, તથા ધ્યાનેસિદ્ધાંતની સ્થાપના કરી છે. ટીકાકાર અભિનવગુપ્તે, લોચનમાં, ધ્વનિ વિરોધી મતોનું વિસ્તારથી ખંડન કરેલ છે. તેમની પછી આવનાર મમ્મટાચાર્ય ‘કાવ્યપ્રકાશ’માં ધ્વનિને વાચ્યાર્થ અને લક્ષ્યાર્યયી ભિન્ન સાબિત કરે છે. તે વેઠાન્તીઓના તથા વૈયાકરણોના અખંડતાર્થતાવાનું ખંડન કરે છે. ઉપરાંત તેમણે ધ્વનિને અનુમાનમાં સમાવતા નૈવાયિક મહિમભટ્ટના મતનો રદિયો આપ્યો છે. ધ્વનિવિરોધ અંગે વિરોષ માહિતી : ઈ.સ. ૮૫૦ થી ૧૧૦૦ એ અઢીસો વર્ષનો ગાળો સાહિત્યચર્ચાના ઉત્કર્ષનો કાળ છે. ધ્વનિતત્ત્વના વિવેચક અસાધારણ હતા જ, પણ તેમનો વિરોધ કરનારા પણ સાધારણ વ્યક્તિ ન હતા. મુકુલભટ્ટ, ભટ્ટનાયક, કુન્તક, ધનંજ્ય, મહિમભટ્ટ, મોજ આકિ ધ્વનિના વિરોધીઓ આ કાળમાં થયા છે. તેમજ રાજશેખર, ઔચિત્યનો વિચાર કરનારા ક્ષેમેન્દ્ર, અભિનવગુપ્ત, રસચર્ચા કરનારા લોહ્લટ, શંકુ, ભટ્ટતૌત વગેરે છે. આ કાળ સાહિત્યચર્ચાના પરમ ઉત્કર્ષનો કાળ છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy