SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૭ તત્ત્વને માનીએ તો તેમાં પ્રસિદ્ધ પ્રસ્થાન-માર્ગનું અતિક્રમણ થતું હોવાથી કાવ્ય તત્ત્વની હાનિ થાય છે. તેને માનવાથી કાવ્યનું લક્ષણ બંધબેસતું થતું નથી. તમારો ધ્વનિ ઉપર્યુક્ત કાવ્યલક્ષણને લાગુ પડતો નથી. કેમકે સહયોને તેનાથી આનંદ મળશે નહીં. કદાચ દુરાગ્રહ રાખી તમે ધ્વનિને પ્રચલિત બનાવશો તો વિદ્વાનોમાં તેનો વ્યાપક સ્વીકાર થશે નહીં. આમ કાવ્યવિવેચનના જાણીતા તત્ત્વોને કાઢી નાખતો હોવાથી ધ્વનિનો અભાવ છે. (૩) જે વસ્તુ શોભાકારી છે તે તો અમે કહેલા ગુણ અથવા અલંકારમાં સમાઈ જાય છે. બીજું નામ આપવામાં શું પાંડિત્ય છે ? આમ ત્રીજા પ્રકારના અભાવવાદીઓ ધ્વનિનો અભાવ જુદી રીતે માને છે. ધ્વનિ નામનો કોઈ નવો પદાર્થ સંભવિત નથી. કેમકે જો તે કમનીયતાનું અતિક્રમણ ન કરતો હોય તો તેનો, હમણાં જ જેને વિષે કહેવામાં આવ્યું તે ગુણ, અલંકાર વગેરે ચારુત્વ હેતુઓમાં, અંતર્ભાવ થઈ જશે. અથવા જો ગુણ, અલંકાર વગેરેમાંથી કોઈનું ધ્વનિ' એમ નવું નામ રાખવામાં આવે તો તે બહુ મામુલી વાત છે. અભાવવાદીઓનાં મંતવ્યો તપાસતાં, તેઓ વાચ્યાર્થમાં જ માનતા હોય એમ લાગે છે, વ્યંગ્યાર્થમાં નહીં. અભાવવાદીઓનું ખંડન : (સિદ્ધાન્ત પક્ષ). ધ્વનિના અભાવની ત્રણ શક્યતાઓ બતાવી એ પૂર્વપક્ષનું વિસ્તૃત સ્થાપન કરી, પ્રથમ ઉદ્યોતના ઉત્તરાર્ધમાં, આનંદવર્ધન નીચેની કારિકામાં તથા તેના પરના આલોકમાં-વૃત્તિમાં તેનું ખંડન કરે છે. यत्रार्थः शब्दो वा तमर्थमुपसर्जनीकृत स्वार्थो । ચક્ર વિશેષ સ ધ્વનિતિ ભૂમિઃ થતઃ I (. /રૂ.). ગુણ, અલંકાર વગેરે ચારુત્વ હેતુઓમાં ધ્વનિનો સમાવેશ કરી શકાય નહીં. કેમકે વાચ્યવાચકભાવ પર આશ્રિત માર્ગમાં વ્યંગ્ય-વ્યંજકભાવ પર આશ્રિત ધ્વનિને કેવી રીતે સમાવી શકાય. વાચ્યાર્થ અને વાચક શબ્દની શોભા વધારનારા ઉપમા વગેરે અર્થાલંકારો તથા અનુપ્રાસ વગેરે શબ્દાલંકારો તો તે ધ્વનિના અંગરૂપ છે, ગૌણ છે જ્યારે ધ્વનિ તો અંગી રૂપ, પ્રધાન છે. એક પરિકર શ્લોકમાં કહેવાયું છે કે "व्यंग्यव्यञ्जकसम्बन्धनिबन्धनतया ध्वनेः । वाच्यवाचकचारुत्वहेत्वन्तः पतिता कुतः ।। અર્થાત-ધ્વનિ, વ્યંગ્ય-વ્યંજકભાવમૂલક હોવાથી વાચ્ય-વાચક ચારુત્વ હેતુ એવા અલંકાર વગેરેમાં તેનો અંતર્ભાવ કેવી રીતે હોઈ શકે છે? આમ અર્થાલંકાર અને શબ્દાલંકાર જેને ચારુત્વ આપે છે તે શબ્દાર્થ કરતાં ધ્વનિનું ક્ષેત્ર સાવ જુદું છે. શ્રી વિષ્ણુપદ ભટ્ટાચાર્ય લખે છે કે ધ્વનિ એ જેઓ તેનું યોગ્ય લક્ષણ આપવાનો પ્રયાસ કરે છે તેવા ધ્વનિવાદીઓના ભેજામાં રહેલી અશક્ય કલ્પના જ નથી, પણ
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy