SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વન્યાલોક જો યશસ્વી મહાન કાવ્યકૃતિઓની સૂક્ષ્મ અને સર્વાગી તપાસ કરવામાં આવે તો જણાય છે કે વ્યંગ્યાર્થ- ધ્વનિ-તેમાં મુખ્ય કે ગૌણરીતે વ્યાપીને રહેલો છે.'' ધ્વનિ, કદાચ પુરોગામી સાહિત્યશાસ્ત્રીઓને માટે, અભાવવાદીઓ માટે, અપરિચિત હશે પણ કવિઓને માટે તે જાણીતી વસ્તુ હતી. મહાકવિઓનાં શ્રેષ્ઠ મહાકાવ્યો, ધ્વનિ હોવાને કારણે સદ્ધયોને આનંદવિભોર બનાવે છે. પૂર્વપક્ષ - અમે સ્વીકારીએ છીએ કે જ્યાં વ્યંગ્યાર્થ નથી એવા બીજા અલંકારોમાં ધ્વનિનો અંતર્ભાવ નથી થઈ શક્તો પણ સમાસોક્તિ, આક્ષેપ, અનુતનિમિત્તા વિશેષોક્તિ, પર્યાયોક્ત, અપવ્રુતિ, દીપક, સંકર તથા અપ્રસ્તુતપ્રશંસા અલંકારોમાં વ્યંગ્યાથેની પ્રતીતિ થતી હોવાથી તેમાં ધ્વનિનો સમાવેશ થઈ જશે. ઉત્તરપક્ષઆના જવાબમાં ધ્વનિકાર કારિકામાં લખે છે, “ઉપસર્ગીકૃતસ્વાર્થો...” (૧/૧૩). ના, ભાઈના, આ અલંકારોમાં રમણીયતા ધ્વનિને લીધે નથી પણ વાચ્યાર્થને લીધે જ છે. અર્થો જુનીવૃતાત્મ, કુળતામધેય શબ્દો વા યત્રાર્થાન્તામમિત્રન િસ ધ્વનિતિ | (૧/૧૩ પરના આલોકમાંથી) જ્યાં અર્થ પોતાને અથવા શબ્દ પોતાના અર્થને ગુણીભૂત બનાવીને, પ્રતીયમાન અને અભિવ્યક્ત કરે છે તેને ધ્વનિ કહે છે. સમાસોક્તિ વગેરે અલંકારોમાં ધ્વનિનો સમાવેશ કેવી રીતે થાય ? સમાસોક્તિ વગેરે અલંકારોમાં વ્યંગ્યાર્થનું પ્રાધાન્ય નથી. પછી આનંદવર્ધન પૂર્વપક્ષમાં ઉલ્લેખાયેલ અલંકારોને એક પછી એક લઈને દર્શાવે છે કે તેમાં ચારુતા, મનોહરતા ધ્વનિને કારણે નહીં પણ વાચ્યાર્થને કારણે છે. તસ્નાત્ર ધ્વન્તિવ કહ્યા પહેલાં આનંદવર્ધન ત્રણ પરિકર શ્લોકથી પોતાના ઉત્તરનો ઉપસંહાર કરે છે.” જ્યાં કેવળ વાચ્યાર્થનો અનુયાયી હોવાને કારણે વ્યંગ્યાર્થ અપ્રધાન થઈ ગયો હોય ત્યાં સ્પષ્ટ રૂપે સમાસોક્તિ વગેરે વાચ્યાલંકાર હોય છે. જ્યાં વ્યંગ્યનો સ્પષ્ટરૂપે આભાસ માત્ર મળી રહ્યો હોય અથવા વ્યંગ્યાર્થ, વાચ્યાર્થનું અનુગમન કરી રહ્યો હોય યા તેની પ્રધાનતા પ્રતીત થતી ન હોય, ત્યાં ધ્વનિ હોતો નથી. જ્યાં શબ્દ અને અર્થ વ્યંગ્યપરક હોય અને ત્યાં સંકર અલંકાર થઈ શકવાનો અવસર ન હોય તો તે ધ્વનિનો વિષય થાય છે.'' છેવટે ધ્વનિકાર આનંદવર્ધન કહે છે, “અનેક ભેદ-પ્રભેટવાળા અત્યંત વ્યાપકમહાવિષય-ધ્વનિનું પ્રતિપાદન, કેવળ અપ્રસિદ્ધ અલંકાર વિશેષોના પ્રતિપાદનની જેમ નગણ્ય નથી. તેથી ધ્વનિના સમર્થકોનો ઉત્સાહ યોગ્ય છે. તેમના પ્રત્યે ઇર્ષ્યાકલુષિત વૃત્તિ પ્રદર્શિત કરવી જોઈએ નહીં. ૧. “ધ્વનિ is not merely a chimera residing in the brains of Dhvani theorists who endevour to furnish a suitable definition of it, but if a thourough and minute investigation is made of all the great poetic products of acknowledge repute, suggestion pervades them as you or ૌનધ્વન્યાતો-પ્રથમ ઉદ્યોત- Bishnupada Bhattacharya on I-13. ૨. વ્યય યત્રાપ્રાધાન્ય...મન્તવ્ય: #ોન્ફિતિઃ ૧/૧૭ના આલોકમાં આવેલા પકિર શ્લોકો.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy