SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. દવન્યાલોક સિદ્ધાન્ત આપ્યો છે. તેથી ડૉ. રામસાગર ત્રિપાઠી કહે છે તેમ, “વૃત્તિગ્રંથ એટલો મહત્ત્વપૂર્ણ બની ગયો કે પરવર્તી આચાર્યોએ અસન્દિગ્ધ રૂપમાં આનંદવર્ધનને જ ધ્વનિપ્રવર્તક માની લીધા તથા કારિકાકાર સર્વથા વિસ્મરણાવૃત થઈ ગયા.'' કોઈ નવું સંશોધન થતાં સર્વગ્રાહ્ય પ્રમાણ ન મળી આવે ત્યાં સુધી આ વિવાદ અનિર્ણિત રહે એમ લાગે છે. ૫.“દવન્યાલોક' (i) ગુર્થ સમાનતપૂર્વ એવા ધ્વનિ સિદ્ધાન્તને રજૂ કરતો ગ્રંથ. (i) શીર્ષક (i) વિષયવસ્તુ (iv) ઉલ્લેખાયેલ કૃતિઓ અને લેખકો (v) ટીકા ગ્રંથો. ધ્વનિનો અવિચ્છિન્ન પ્રવાહ-ધ્વન્યાલોના પ્રથમ ઉદ્યોતની પ્રથમ કારિકામાં ‘ાર્ચસ્વામી ધ્વનિતિ વૃધે. સમાનતપૂર્વ ' કહ્યું છે. ધ્વનિસિદ્ધાન્ત, આ ગ્રંથ લખાયો તે પહેલાં, સદયોનાં વર્તુળમાં પ્રચલિત હતો. તે જોકે ગ્રંથસ્થ થયે નહીં હોવા છતાં મૂલ્યવાન ખજાનાની જેમ એક પેઢી પાસેથી બીજી પેઢીને પરંપરાથી સોંપવામાં આવતો એમ કે. કૃષ્ણમૂર્તિ જણાવે છે. ધ્વનિના સિદ્ધાન્તને વર્તમાનની યશસ્વી સિદ્ધિને બદલે અતીતના મૂલ્યવાન વારસા તરીકે જોવામાં આવેલ છે. સાહિત્યરસિક સહદયો એ સિદ્ધાન્તથી પરિચિત હતા પણ સાહિત્યશાસ્ત્રના લેખકોએ તેને ઉવેખ્યો હતો. ભરતથી રુદ્રટ સુધીના અલંકારશાસ્ત્રીઓએ ધ્વનિનો ઉલ્લેખ તેની ચર્ચા, પોતાના ગ્રંથોમાં કરી નથી. તેમનાતપૂર્વ નો “પુસ્તકોમાં વિસ્તૃત રીતે નિરૂપાયેલ’ અર્થ કરીએ તો એવાં કોઈ પુસ્તક મળતાં નહીં હોવાથી એ અર્થ બરાબર નથી. પણ પુસ્તકોમાં ન નોધાયેલ હોવા છતાં, અવિચ્છિન્ન પરંપરાથી મૌખિક રીતે, વિદ્વાન સદાયોના વર્તુળોમાં, ઊતરી આવેલો એમ અર્થ એ શબ્દોનો કરવો જોઇએ. વધે માં બહુવચન છે એટલે એને સ્વીકારનારા ઘણા હશે એમ કહી શકાય કે. કૃષ્ણમૂર્તિનું આવું અર્થઘટન લોચન ટીકામાં આવતા આ વાક્ય પર આધારિત છે. “अविच्छिन्नेन प्रवाहेण तैरेतदुक्तम्, विनाऽपि विशिष्टपुस्तकेषु विनिवेशनादित्यभिप्रायः । પંડિત જગન્નાથના ‘રસગંગાધરમાં આ અંગે એક વાક્ય આ પ્રમાણે છે, ૧. . THITI ત્રિપાઠી-ધ્વન્યાતોલ-થિન 9-૭. 2. "The theory of Dhvani was very much in vogue in famous circle of cultured critics and though it was never committed to writing, it was being traditionally handed down as a valuable treasure from generation to generation.” K. Krishna Moorthy-"Dhavani and its Critics p. 25. ૩. અભિનવગુપ્તની લોચન ટીકા-ધ્વન્યા. ૧/૧
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy