SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૩૮ મને વિજ્ઞાન તે ભરતેશ્વરને ધન્ય છે. નવ્વાણું ભાઈઓને પણ ધન્ય છે મરૂદેવા માતાને પણ ધન્ય છે. આપણા જેવાના લાભ માટે અને પોતાના આત્માના પારમાર્થિક લાભ માટે એમણે કેવા સુકૃતના કાર્યો કર્યા છે! જુઓ તે ખરા! આપણા પૂર્વજો કેવા મહાન થઈ ગયા ! આ રીતે સાઠ હજાર સગરનાં પુત્રો પિતાના પૂર્વજોને સંભારો સંભારીને તેમણે કરેલાં શુભ કાર્યોની અનુમોદના કરે છે. ભાવિની તમારી પેઢીને અનુમોદના રહી જાય એવા શુભ કાર્યોને વાર તમે પણ મૂકતા જજે. આપણા કુળમાં થઈ ગયેલાં પુરુષોએ કેવા મહાન કાર્યો કર્યા છે ! એવા સ્વરૂપે ભાવિની પેઢી તમને સંભાર્યા જ કરે. શકિત હોવા છતાં જીવનમાં જે એવા અનુમોદનીય કાર્યો ન થયા હોય તો સમજજે કે જંગલમાં ઊગેલા ગુલાબના ફૂલની જેમ આપણું જીવન નિષ્ફળ છે. તીર્થ રક્ષા અંગેના શુભ પરિણામ પછી તે તેમનાં અંતરમાં તીર્થરક્ષા અંગેના પરિણામ પ્રગટે છે અને અષ્ટાપદને ફરતી ઊંડી ખાઈ ખોદે છે, અને તેની રજનાગનિકા સુધી પહોંચે છે. તરત નાગનિકાયનાદે આવીને તેમને ઉપાલંબ આપે છે અરે! ભાઈ તમે આ શું કર્યું? તમે તે આ બાળક બુદ્ધિકરી,નાગેલેકના અપરાધી ઠર્યા છે. અપરાધ તો તમે એ કર્યો છે કે ક્ષણવારમાં બાળીને ભસ્મીભૂત કરી નાંખ પણ તમે ભગવાન કાષભદેવનાં વંશજ હોવાથી તમારી પર અમે કોધ કરતા નથી અને અમારી આ હિતશિક્ષા લક્ષમાં લેજો. ફરી આ અપરાધ નહિ કરતા આ પહેલીવારને અપરાધ અમે માફ કર્યો છે. હવે પછી માફ નહિ કરીએ. એમ કહીને નાગનિકાયના દેવે પોતાના સ્થાને જેવા ગયા કે પાછળથી સગરચક્રિના પુત્રો વિચારે છે. હવેથી આપણે ખાઈ
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy