SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરિરાજનાં આઠ શિખર ૨૩૯ ખોદવી નહિ, પણ આ ખોદેલી ખાઈને જે ગંગા નદીનાં નીરથી ભરી દઈએ તે તીર્થરક્ષાનું આપણું કાર્ય પૂર્ણ થઈ જાય. આ પ્રમાણે મનથી દઢ નિર્ધાર કરીને દંડરનવડે ખેદકામ કરીને ગંગાનદીને પૂર્વે તૈયાર કરેલી ખાઈ તરફ વાળે છે ખાઈ આખી ગંગા નદીનાં જળથી ભરાઈ જાય છે. ખાઈ ઘણીજ ઊંડી ખેલી હોવાથી ગંગાનદીનાં નીર નાગનિકાય સુધી પહોંચી જાય છે. ને ત્યાં તે કોધથી ધમ ધમી ઊઠેલા નાગનિકાયના દેવે ત્યાં આવીને ચકિના સાઠ હજાર પુત્રને એકીસાથે બાળીને ભસ્મી-ભૂત કરી નાખે છે. બધાના તીર્થરક્ષા અંગેના પરિણામહેવાથી મૃત્યુને પામીને બારમાં દેવલોકમાં જાય છે, તીર્થરક્ષાના શુભ ભાવમાં એ આત્માઓ કામ કાઢી જાય છે. નાગનિકાયના દેવોએ તેમના શરીરને સળગાવી દીધા પણ તેઓ આત્માને સળ ગાવી શકયા નથી. તે આત્માઓના અધ્યવસાય ઊંચા હોવાથી બધા ઉર્ધ્વગતિના સ્થાનને પામ્યા છે. તીર્થરક્ષાના કાર્યો અંગેની જવાબદારી આજે પણ જૈન સંઘ ઉપર આવી પડેલી છે. તેની અંદર તન, મન, અને ધનથી ભોગ આપનારા મહાન પુણ્ય ઉપાર્જન કરવા પૂર્વક ઘણા કર્મોની નિર્જર પણ સાધી લે છે. આજે ચારે બાજુથી આપણું પવિત્ર તીર્થો ઉપર આક્રમણે થઈ રહ્યા છે. એવા સમયે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘે જરાએ ગફલતમાં રહેવા જેવું નથી. ઘર ઉપર આક્રમણ આવે તે જેમ આપણે ઊભા થઈ જઈએ છીએ તેમ આવા તીર્થ. રક્ષા જેવા મહાન પવિત્ર કાર્યોમાં પણ ભેગ આપવા આપણે તત્પર રહેવું જોઈએ. આપણું ઘર અને વૈભવ કરતા પણ તીર્થ એ મહાન વસ્તુ છે. ઘર વૈભવમાં તે મેહભાવને પિષીને જીવ સંસાર સાગરમાં ડૂબે. જ્યારે તીર્થના આલંબને તે સંસાર સાગર તરી જવાય છે, તીર્થરક્ષાના પરિણામમાં પણ
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy