SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૫ ) મુસલમાનેએ દિગમ્બર યતિઓની ઉપર જુલમ ગુજાર્યો ને તેથી વિના વચ્ચે ફરવું એમને અશકય થઈ પડ્યું. ત્યારપછી તેના મુનિઓ પણ લોકસમાજમાં ભળવા લાગ્યા, તેથી પણ વસ્ત્ર પહેરવાને રિવાજ પડ્યો. એ રિવાજને વસન્તાંત્તિના (૧૨૦૦ ના અરસામાં) લેખકે અનુમોદન આપ્યું છે. જે દિગમ્બર એને અનુસર્યા, તેઓ વિશ્વ( વિશ-અથવા વિસ-) થી, એટલે કે સર્વ સામાન્ય, સરળ પંથને અનુસરનારા કહેવાયા. પ્રાચીન સમ્ર મતને માનનારા તે આ રિવાજની વિરુદ્ધ થયા, એવો વિરોધ કરનારમાં મુખ્ય વહિત વનારીવાસ હતા, તેમણે ૧૬૨૬ ના અરસામાં આગ્રામાં તાપન્યા નામે સમ્પ્રદાયની સ્થાપના કરી.° વર્તમાન સ્થિતિ. રાજકીય જુલમોના અને વિરોધી ધર્મોના ત્રાસના વિધ્ય બ્રિટિશ રાજ્યકાળમાં ન હોવાથી જૈનો પિતાના ધાર્મિક આચાર સ્વતંત્રતાએ પાળી શકે છે. જેનો પ્રાચીનકાળથી પ્રસિદ્ધ વેપારીઓ તે હતા જ, તેમાં વળી અંગ્રેજી રાજ્ય શાન્તિ ને વ્યવસ્થા દેશમાં સ્થાપી તથા વેપારનાં સાધને વધાર્યા, તેથી જેનોની રિથતિ સુધરી ને વેપારીઓ ધનાઢ્ય થયા. ભૂતકાળના જૈનોનું અનુકરણ કરીને મેટા મેટા શેઠીઆએ અને શરાએ મેટાં મોટાં દાન આપીને તીર્થકરે પ્રત્યે શ્રદ્ધાભાવ પ્રદર્શિત કરવામાં અને દયાધર્મ કરીને સત્કર્મ સંચી લેવામાં કશી પાછી પાની કરી નથી. શેઠ હઠીસિંહે ઈ. સ. ૧૮૪૮ માં અમદાવાદમાં ૧૫ મા તીર્થંકર ધર્મનાથનું વેત મર્મરનું મેટું દેવાલય બન્ધાયું, તેમજ બીજાં અતિ મૂલ્યવાન મકાને છેલ્લા સૈકામાં બન્ધાયાં છે, તે એ સંઘની ધનશાલિતા અને દાનવૃત્તિનું પ્રમાણ છે. બહારને આવડે મેટો પ્રતાપ છતાં સંઘનું સંખ્યાબળ ધીરે ધીરે ઘટતું જાય છે. આ વસ્તુસ્થિતિને છેટી કહી શકાય એમ નથી, અને સર્વ પિતે જ એવી ભવિષ્યવાણી ભાખી હતી એવા ખ્યાલથી આ વસ્તુસ્થિતિ સંબંધે જૈનો પિતે પણ ખેદ કરે
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy