SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) તેરાપંથીઓના સાધુઓમાં સાધુઓ અને સાધ્વી થવાની દીક્ષાક્રિયા કંઈક જુદી રીતે થાય છે. લાડનું ( Ladnun ) માં એવી એક કિયા થયેલી તે સંબંધે હર્મન યાકેબીએ મને આમ લખેલું. “દીક્ષા લેનારાં બે જણ દંપતી હતાં, તેઓ બ્રહ્મચારી કે બ્રહ્મચારિણી નહાતાં, તેમજ ક્ષુલ્લક કે બુલિકા પણ નહોતાં. એક ધર્મશાળાની સામેના મેદાનમાં આ કિયા થઈ હતી, શેડાંક પગથીઆં ચઢીને ધર્મશાળાને દરવાજે જવાનું હતું અને તે દરવાજે જમીનથી માથાપુર ઉંચે હતે. પગથીની બને બાજુએ ઓટલા હતા. જમણી બાજુને ઓટલે આચાર્ય અને યતિઓ બેઠા હતા, ડાબી બાજુને એટલે સાધ્વીઓ બેઠી હતી, ત્યાં દીક્ષા લેનાર દંપતીને સારાં વસ્ત્ર પહેરાવીને આણ્યાં. પત્ની સાધ્વીઓની પાસે ઉભી, પતિ આચાર્યની સામે જમીન ઉપર ઉભે. સ્થાન એવું હતું કે પ્રદક્ષિણ થાય નહિ. દીક્ષા લેનાર પુરૂષને માટે ભાઈ એની પાછળ ઉભે હતું, તેણે એક કાગળ આચાર્યને આપે, તેમાં કુટુમ્બની દીક્ષાવિષે સમ્મતિ લખી હતી. આજુબાજુના જનમંડળમાં કંઈ શાન્તિ થઈ એટલે આચાર્ય સ્પષ્ટ સ્વરે એક લાંબુ સૂત્ર બેલ્યા. પછી સાધુએ મસ્તક નમાવ્યું, માથા ઉપર માત્ર એટલી હતી, તે આચાર્યો પાંચ ભાગે ઉખે નાખી, તે પ્રસંગે થનાર સાધુના મુખ ઉપર કંઈ પણ વિકૃતિ જણાઈ નહિ. ત્યારપછી એ સાધુએ બીજા સાધુઓને નમન કર્યું અને એમની હારમાં સૌથી છેલ્લો બેઠે; સાધ્વીને બીજી સાધ્વીઓ પાસે બેસાડી. સાધુને દીક્ષા આપી તે પૂર્વે સાધ્વીએ તે આચાર્યની સૂચનાથી એમને માત્ર ઘેડકવાર નમન કરવાનાં હતાં.” એ ક્રિયા સમાપ્ત થયા પછી સાધારણ રીતે થેડેક ઉપદેશ આપવામાં આવે છે અને ત્યારપછી છેક બીજી ક્રિયાઓ કરવામાં આવે છે, એ મુખ્ય કિયા તે ચારેક કલાકમાં પતી જાય છે, પણ પછી બીજી વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવામાં આ દિવસ ચાલ્યા જાય છે. - દીક્ષાકિયા થયા પછી સાધુએ આધ્યાત્મિક ક્રિયાઓ કરવાની
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy