SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૬ ) હાય છે; તે દ્વારા તે છેદ્યાપસ્થાપન નામે ચારિત્રના બીજા પદ ઉપર આવે છે. તપ, કષાયશુદ્ધિ અને ભૌતિક વાસનામાંથી મુકિત દ્વારા એ ચારિત્રનાં બાકીનાં બીજા ત્રણ પદ ( પૃ. ૨૧૧ ) ઉપર ચઢે છે. આટલા માટે ગુરૂ જે બતાવે તે ધમ સાધુએ પાળવાના હોય છે. તે ઉપરાંત બીજા પણ અનેક વિધિ પાળવાના છે. એ ધનુ અને વિધિનુ ઉલ્લ્લઘન થતાં તેણે પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્ત કરવુ જોઈએ અને એ પ્રમાણે એણે અનેક આધ્યાત્મિક ક્રિયા કરવાની હાય છે. સાધુને જ્યારે વાચકને, ઉપાધ્યાયને કે આચાય ને પદે લેવામાં આવે છે ત્યારે પણ સંઘની અંદર અનેક તૈયારીઓ થાય છે. તેવે પ્રસ ંગે સમવસરણની પ્રદક્ષિણા થાય છે, Ôાત્રા અને મત્રા ભણાય છે, વાસાના થાય છે ને તે ઉપરાંત અનેક ક્રિયાઓ થાય છે. આચાય અનાવવાની ક્રિયા વિશિષ્ટ પ્રકારે મહત્ત્વની છે. તે પ્રસ ંગે થનાર આચાય ને પહેરાવવાનાં વસ્ત્રને રાત્રે અમુક ક્રિયાથી શુદ્ધ કરવામાં આવે છે; ત્યાં પછી એ આસન મૂકાય છે, તેમાંના એક ઉપર ગુરૂ એસે છે ને બીજા ઉપર અક્ષસમૂહ (સ્થાપનાચા) મૂકાય છે. કેટલીક ક્રિયા થયા પછી અને કેટલાક મંત્રા તથા સ્તત્રા ખેાલાચા પછી ગુરૂ આચાર્ય થનાર સાધુના કાનમાં ત્રણવાર સૂરિમંત્ર ભણે છે અને તેના હાથમાં અક્ષસમૂહ મૂકે છે. ત્યારપછી એનુ` નવું નામ પાડે છે. ( આ નવું નામ તે ઘણું કરીને તેના સાધુનામને ઉલટાવીને પાડવામાં આવે છે ને ત્યારપછી તેને સૂરિ પદ લગાડવામાં આવે છે; જેમકે ઇન્દ્રવિજયનુ નવુ નામ વિજયઇન્દ્રસૂરિ ) ત્યારપછી એ નવા આચાય એમાંના એક આસન ઉપર બેસે છે, અને ગુરૂ તથા ખીજાં અધાં સા એમને નમસ્કાર કરે છે તથા “ સંસારપ તના વજા સમાન. ” જૈનધર્મીના ઉપદેશકરૂપે એમને વિષે કેટલાક શ્લાક ખેાલાય છે. ત્યારપછી ઉપદેશ અપાય છે ને બીજા ધાર્મિક વિધિ થયે તે ક્રિયા સમાપ્ત થાય છે. શ્રાવકે તે પ્રસંગે મહાત્સવ કરે છે તે દશ દિવસ સુધી ચાલે છે. સાધુ સ્વેચ્છાએ ઉપવાસ કરીને મૃત્યુને આમંત્રણ આપે છે,
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy