SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) રાજબુદ્ધિને બળે એ સૌ વાતના ભેદને કળી લેતા અને અતિ ઉંચા જ્ઞાનને બળે એમની પાસે જે કોઈ ઉપદેશ લેવા આવતું તે સોને શુદ્ધમાર્ગ દર્શાવતા. એમણે પિતે ત્યાગી જીવન બહુ કઠેરભાવે પાળ્યું છે ને કઠેરભાવે પાળવાની બીજાઓને આજ્ઞા કરી છે. ઉંચે હેતુએ જીવનને સમર્પવા એમણે પોતાના વિલાસજીવનને, આનન્દજીવનને ત્યાગ કર્યો હતે. અન્તિમ સીમા સુધી એમણે કાયકલેશ સહન કર્યું હતું, બધી વાસનાઓને નાશ કર્યો હતે અને પ્રબળ આત્મસંયમથી સર્વોત્તમ પદ પ્રાપ્ત કર્યું હતું. પોતાના શિષ્યને કઠેરભાવે આજ્ઞા કરી કે તમારે પણ એવું જ જીવન ગાળવું અને એમ કરીને એમણે સંન્યસ્ત ધર્મને ખુબ ઉંચે આ. સંન્યસ્તધર્મને કઠેરમાર્ગે એમણે દયભાવે પગલાં કેમ ભરવા માંડ્યાં એની સાબીતી, કથા એવી રીતે આપે છે કે તે સમયના બીજા સંન્યાસીઓ માત્ર માથું મુંડાવતા અને સંન્યસ્તનાં વસ્ત્ર ધારણ કરીને સન્તોષ પકડતા, ત્યારે મહાવીરે તો પોતાના વાળ એના મૂળથી ઉખેડી નાખ્યા અને વસ્ત્રને સમૂળે ત્યાગ કર્યો. મહાવીરની ઉંચી સંન્યસ્તભાવના ગૌતમ બુદ્ધની ભાવનાથી જુદી હતી. મહાવીરે ઉપવાસની અને તપસ્યાના બીજા પ્રકારની આવશ્યક્તા માની હતી, પણ બુદ્ધે તે એને ભ્રમમાગ માન્ય હતે. એ માર્ગની અને વિલાસભર્યા તથા તેમાં જ રચ્યાપચ્યા રહેવાના સંસારજીવનના તિરસ્કૃત માર્ગની વચ્ચેના સગ્ય માને એમણે ઉપદેશ આપે હતે. બીજા એક વિષયમાં પણ આ બે મહાપુરુષ વચ્ચે મહત્વને ભેદ છે લેકસમાજ પ્રત્યેની દષ્ટિમાં એ.- બે વચ્ચે મહત્વને ભેદ છેઃ ઍન્ટ લેઈમાન ( Ernst Leumann ) એ સંબંધમાં આમ કહે છે –“મહાવીર સંકુચિત પ્રકૃતિના હતા, બુદ્ધ વિશાળ પ્રકૃતિના હતા. મહાવીર લોકસમાજમાં ભળવાથી દૂર રહેતા, બુદ્ધ લેકસમાજની સેવા કરતા. આ ભેદ કંઈક અંશે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પિતાના શિષ્ય જ્યારે પ્રસંગે પાન બુદ્ધને જમવા
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy