SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) પિતાના શિષ્ય મહારાજા ચન્દ્રગુપ્ત સાથે શ્રવણ–બેલગોલા ગયેલા માને છે. (પૃ. ૩૬) ઈ. સ. ૧૮૭ માં મૃત્યુ પામેલા તિવિદ વરામિહિરના એમને ભાઈ માનવા એ તે ઈતિહાસમાં ભૂલ કરવા સરખું છે. - ભદ્રબાહુએ અનેક શાસગ્રન્થ ઉપર નિયુજિઓ એટલે કે માગધી ટીકાઓ લખી છે. એમના કલ્પસૂત્રને શ્વેતામ્બરે એટલે ઉંચે સ્થાને મૂકે છે કે એની શાસ્ત્રગ્રન્થમાં જ ગણના કરે છે. કાયદા વગેરેની ચર્ચા કરનાર મદવાદુ સંતિ નામના એક ગ્રન્થના પણ એ કર્તા ગણાય છે. વળી એમ પણ કહેવાય છે કે એ તિવિંદ પણ હતા. ત્યારપછી ધર્મના સિદ્ધાન્ત ઉપર ચર્ચા કરનાર સૌથી પ્રથમ માસ્વાતિ હતા એમ લાગે છે. બ્રાહ્મણનાં દર્શનને અનુસરીને એમણે સૂત્રપદ્ધતિએ સમસ્ત ધર્મની દુકામાં ચર્ચા કરી છે. તત્વાર્થધામસૂત્ર નામે પ્રખ્યાત ગ્રન્થ એમણે લખ્યું છે. બંને સમ્પ્રદાય એ ગ્રન્થને પિતાને પ્રમાણભૂત ગ્રન્થ માને છે. એ વિખ્યાત પુરૂષ અમારા સમ્પ્રદાયના હતા એ દાવો શ્વેતામ્બરે અને દિગંબરે બને કરે છે. પણ યાકેબી માને છે કે ઘણું કરીને એ શ્વેતામ્બર સમ્પ્રદાયના હતા, કારણ કે એમણે પોતે જ પોતાના એ ગ્રન્થ ઉપર જે ટીકા લખી છે તે ટીકા માત્ર શ્વેતામ્બરે જ પ્રમાણભૂત ગણે છે. ત્યારે દિગમ્બરે તો બીજાએ લખેલી ટીકાઓને પ્રમાણભૂત ગણે છે. એ બને સમ્પ્રદાયે ઉમાસ્વાતિને સરખી શ્રદ્ધાએ પોતાના ગુરૂ માને છે, એ વસ્તુ એમ સાબીત કરે છે કે એમના સમયમાં એ બે સમ્પ્રદાયે વચ્ચેનો ભેદભાવ પાછળના સમય જે હજી તીવ્ર નહોતે થયે. ઉમાસ્વાતિના સમયને હજી ચેકસ નિર્ણય થયે નથી; જેનો પોતે એમને ઇ. સન. ની શરૂઆતમાં મૂકે છે, પણ ઈ. સ. ૪ થા કે ૫ મા સૈકામાં એ થયાને વધારે સંભવ છે.” ઉમાસ્વાતિ પછી શ્વેતામ્બર સમ્પ્રદાયના મહત્ત્વના ધર્મજ્ઞ સિદ્ધસેન રિવાજર થયા. કથા પ્રમાણે આ મહાન પડિત મહારાજા વિક્રમાદિત્યના સમકાલિન હતા. (પૃ.૪૪) પણ ખરી રીતે ઈ. સ. ૬૫૦ પછી પ્રખ્યાત થયા હોય. એમને વિષે જેનો બહુ અદ્ભુત
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy