SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૦)કથાઓ કહે છે. એ કથાઓ પ્રમાણે દિવાકર મૂળે તે બ્રાહ્મણ હતા, પણ વૃદ્ધવાપિ એમને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા ને પછી એમણે જૈનધર્મ સ્વીકાર્યો ને ત્યારથી પિતાનું નામ સિદ્ધસેન રાખ્યું. એકવાર એમણે બધા જૈનગ્રન્થને પ્રાકૃતમાંથી સંસ્કૃત અનુવાદ કરવાની યોજના, પોતાના ગુરૂ સમક્ષ મૂકી, આ પાપના પ્રાયશ્ચિત માટે ગુરૂએ એમને બધાં જૈનમન્દિરની યાત્રા કરવાની આજ્ઞા કરી. બાર વર્ષ સુધી શ્રદ્ધાપૂર્વક યાત્રા કરતાં એ ફર્યા અને છેવટે ઉજજયનના શિવમન્દિરમાં આવ્યા. ત્યાં શિવને નમસ્કાર કરવાને બદલે શિવલિંગની સામે પગ કરીને મન્દિરમાં બેઠા. આ જોઈને શિવભક્તોએ રાજા વિક્રમાદિત્યને ફરિયાદ કરી. રાજાએ પંડિતને એમના અપરાધને કારણે ચાબુકને માર મારવાની સજા કરી, પણ થયું એવું કે પહેલી જ ચાબુક મારતામાં તે રાજાના અન્તઃપુરમાંથી ચીસ સંભળાઈ, કારણકે પંડિતે જાદુબળથી એવું કર્યું કે ચાબુક પડે પિતાની ઉપર, પણ વાગે રાજાની પટ્ટરાણીને. આ ઉપરથી સિદ્ધસેનને છે. મેલવામાં આવ્યા, એમણે શિવલિંગ તરફ હાથ ઉંચો કર્યો એટલે લિંગ ચીરાઈ ગયું, તેમાંથી પ્રકાશ નીકળે ને તેમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાનાં દર્શન થયા.૨૧ ન્યાય ઉપર સ્વતંત્ર ગ્રંથ લખનાર જેનોમાં સૌથી પ્રથમ સિદ્ધસેન જ હતા. એમણે ૩૨ લેકમાં ન્યાયના સમસ્ત પ્રદેશને ઘેરી લીધા છે. એ ગ્રન્થને સમય નિર્ણય કરવા માટે મહત્ત્વની વાત એ છે કે વિદ્વાન બદ્ધ તાર્કિક ધર્મવર્સિના ચારિત્ (ઈ. સ. ૭માં સૈકામાં વાંચ્યા પછી સિદ્ધસેને પિતાને ગ્રન્થ લખેલે એમ યાકોબી જણાવે છે.રર વીર સંવત ૯૮૦ માં (એટલે કે . સ. ૫ મા સૈકામાં) વલ્લભીમાં શ્વેતામ્બર ગ્રન્થ વ્યવથિત થયા, ત્યારપછી એ ગ્રન્થો ઉપર ખુબ ટીકાઓ લખાઈ છે. ત્યાં મળેલા સંઘના અધ્યક્ષ દેવદ્ધિએ પણ ટીકાઓ લખેલી જણાય છે. બીજા મુખ્ય ટીકાકારોનાં નામ આ પ્રમાણે છે-૭ મા સૈકામાં સિદ્ધનરાશિ, ૮ માં માં રિમ, મા માં શતા, ૧૧ મા માં શાંતિસૂરિ, રેવેન્દ્ર અને અમદેવ, ૧૨ મ માં માયાર, આમાંના ઘણું લેખકે ધર્મગ્રન્થ ઉપર
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy