SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) દુપટ્ટો કે ખેસ ઓઢવો “ (૫) મનને એકચિત્ત રાખવું કોઈ પણ જાતનો સંકલ્પ-વિકલ્પન કરવો. - તદુપરાંત રાજા મહારાજાએ આ પાંચ રાજ-ચિન્હોનો ત્યાગ કરીને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ-(૧) મુગુટ, (૨) છત્ર, (૩) ચામર, (૪) તલવાર અને (૫) ચાખડી-મોજડી. દેશગિકઃ ત્રણ પદાર્થોના સંયોજનને ત્રિક કહેવાય છે. ત્રિકના દશ પ્રકાર છે જે નીચે મુજબ છે. (૧) નિસ્સિદી, (૨) પ્રદક્ષિણા, (૩) પ્રણામ, (૪) પૂજા, (૫) અવસ્થા, (૬) દિશાત્યાગ, (૭) પ્રમાર્જના, (૮) આલંબન, (૯) મુદ્રા અને (૧૦) પ્રણિધાનત્રિક. નિરિસહી સિકઃ મંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલાં જમણો પગ રાખીને દર્શન પૂજા આદિમાં મનની એકાગ્રતા માટે (૧) સમગ્ર સાંસારિક વ્યાપારોના નિષેધ સ્વરૂપ પ્રથમ નિસ્નેિહી, (૨) ગર્ભગૃહમાં પ્રવેશ કરતી વખતે દ્રવ્ય-પૂજામાં એક-ચિત્ત બનવા માટે મંદિર સંબંધી કાર્યોના નિષેધરૂપ બીજી નિસ્સિહી અને (૩) ચૈત્યવંદનાદિ રૂપ ભાવપૂજામાં તલ્લીન બનવા માટે દ્રવ્યપૂજાના 'નિષેધરૂપ ત્રીજી નિસ્ટિહીનું વિધાન છે. પ્રદક્ષિણાત્રિક ત્રણ પ્રદક્ષિણાઓ એ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના માટે, અનાદિ ચાર ગતિરૂપ સંસાર-ભ્રમણ નિવારણ હેતુ તથા મંદિરમાં આશાતનાઓ વગેરે દૂર કરવા નિરીક્ષણ માટે લગાવવાની છે.
SR No.022998
Book TitleJain Shravakachar
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay, Rasiklal Choxi
PublisherShah Ishwarlal Kishanji Kothari
Publication Year
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy