SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વિનાના, બળ્યા વિનાનું ધોતિયું.અને ખેસ અને સ્ત્રીઓએ સાડી, પોલકું અને ઘાઘરો પહેરવાં જોઇએ. " મનશુદ્ધિઃ ભૌતિકસુખની કામના, યશ કે કીર્તિની કામના, કૂતુહલ કે ચિંતા આદિ દોષોને દૂર કરી મનને પ્રભુ-પૂજામાં એકાગ્ર કરવું. ભૂમિ-શુદ્ધિઃ દેરાસરમાં બધે અને ખાસ કરીને જ્યાં પ્રભુપૂજા, ચૈત્યવંદન કરવાનું હોય તે જગ્યાને કાં તો પોતે સાફ કરે અથવા બીજા કોઈની પાસે કરાવે. ઉપકરણ-શુદ્ધિઃ પૂજાની થાળી, પાણી, કેસર, ચંદન, પુષ્પ આદિ સામગ્રી પવિત્ર તથા ઉત્તમ પ્રકારની હોવી જોઈએ. દ્રવ્ય-શુદ્ધિ : પ્રભૂ-પૂજન ન્યાયના માર્ગથી મેળવેલ પોતાના દ્રવ્યથી કરવી જોઇએ. વિધિ-શુદ્ધિ: ભક્તિ અને બહુમાનપૂર્વક દર્શન, પૂજા, વખતે વિધિ-વિધાનનો પૂરો ખ્યાલ રાખવો જોઈએ. ટૂંકમાં વિધિ નીચે લખેલા પાંચ અભિગમ અને દશત્રિકના વિવરણથી જાણવી. - પાંચ અભિગમ , મંદિરમાં પ્રવેશ સમયે નીચેની પાંચ વાતોનું ધ્યાન રાખવું. (૧) સજીવ-દ્રવ્ય, ઉપલક્ષણથી પોતાનાં કામમાં આવે તેવી ખાવા પીવાની વસ્તુઓ, લાકડી હથિયાર વગેરે ચીજોને મંદિરની બહાર રાખવી. (૨) નિર્જીવ વસ્તુ ઉપલક્ષણથી આભૂષણ, ધન વગેરે કીમતી ચીજોને મંદિર જતી વખતે સાથે લઈ જવી જોઈએ (૩) પ્રભુનું દર્શન થતાં વેંત બન્ને હાથ જોડી મસ્તક પર અંજલિ કરવી.
SR No.022998
Book TitleJain Shravakachar
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay, Rasiklal Choxi
PublisherShah Ishwarlal Kishanji Kothari
Publication Year
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy