SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામસિકઃ (૧) મૂળનાયક ભગવાનનાં દર્શન થતાંની સાથેજ મસ્તક પર બે હાથ જોડી, અંજલિ કરીને “નમો નિVIT'' બોલવું આને અંજલિબદ્ધ પ્રણામ કહેવાય છે. (૨) પ્રદક્ષિણા ફર્યા પછી પ્રભુ સમક્ષ સ્તુતિ કરતી વખતે કેડથી ઉપરના અડધા ભાગને ઝુકાવવો તેને અર્ધાવન પ્રણામ કહેવાય છે. (૩) ખમાસમણ દેતી વખતે બે હાથ, બે ઘૂંટણ તથા મસ્તક એ પાંચે અંગોને જમીન પર એકત્રિત કરવાનું પંચાંગ પ્રણિપાત પ્રણામ કહેવામાં આવે છે. પૂજાત્રિક (૧) પાણી, ચંદન, ફૂલ, આભૂષણ વગેરે જે પ્રભુજીના અંગ ઉપર - ચઢાવવામાં આવે તેને અંગપૂજા કહે છે. જે વિદ્ગ નાશક છે. (૨) ધૂપ, દીવો, ચોખા, નૈવેદ્ય, ફળ વગેરે જે પ્રભુજીની સન્મુખ રાખવામાં આવે તેને અંગ્રપૂજા કહે છે. ફલતઃ તેને અભુદય સાધનસામગ્રી કહે છે. (૩) નૃત્ય, ગીત, સંગીત, ચૈત્યવંદન જે પ્રભુ સન્મુખ કરવામાં આવે છે તેને ભાવપૂજા કહે છે. આનું ફળ મોક્ષપ્રાંતિ છે. અવસ્થાનિક (૧) પિમ્હસ્થ અવસ્થા જન્માભિષેક સમયે ચોંસઠ ઈન્દ્રો દ્વારા પ્રભુની અનુપમ ભક્તિ છતાંયે પ્રભુને લેશમાત્ર પણ અભિમાન નહિ. રાજ્યકાલમાં રાજસુખના ભોગવિલાસમાં જરા પણ આસક્તિ નહિ અને દીક્ષા અંગીકાર કર્યા પછી શ્રમણ અવસ્થામાં પરિસહ અને ઉપસર્ગ થવા છતાંયે નિશ્ચલતા રાખવી તેમજ ઘોર તપ તપવા હે પ્રભો ! એવી અવસ્થા હું ક્યારે પ્રાપ્ત કરીશ ? (૮)
SR No.022998
Book TitleJain Shravakachar
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay, Rasiklal Choxi
PublisherShah Ishwarlal Kishanji Kothari
Publication Year
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy