SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સાધુતાની જ્યોત અતિશય–જ્ઞાનીઓના વિરહમાં શાસ્ત્ર–વાંચન એજ આમેદ્ધારને પરમ માર્ગ છે. શાસ્ત્રનું વાંચન પંક્તિઓ લગાવવા પૂરતું ન રહેવું જોઈએ. પણ જીવનમાં વણી લેવું જોઈએ, રોજ ૫૦૦ શ્લેક–પ્રમાણ જરૂર વાંચવું. ૫ કેટલા લોક કંઠસ્થ કર્યા? શાસ્ત્રના શ્લોક યા ગાથા કે ગદ્ય કંઠસ્થ રાખવાથી વિરાગ્ય શુદ્ધ થાય છે. જ્ઞાનાવરણય-કર્મન લોપશમ થાય છે, છ મહિને પણ એક ગાથા થાય તે પણ ગોખવાનું જારી રાખવું રોજ ૧ કલાક તો ગોખવું. બપ્પભટ્ટસૂરિ રોજ ૭૦૦ શ્લોક ગેખતા હતા. ૬ કેટલે વખત સત્સંગ કર્યો? સત્સંગનો પ્રભાવ અચિંત્ય છે, જ્ઞાની, ધ્યાન, ત્યાગી કે યોગી એવા ગુણીજનને સમાગમ મહાન લાભ આપે છે. પુણ્યવાનને જ તેને સમાગમ થાય છે. સંગ થયા પછી પણ તેને લાભ થડા જ આત્માએ લઈ શકે છે. સત્સંગને એક ક્ષણ પાપી–આત્માને ઉદ્ધારનારો થાય છે. તેમની સેવા, વચન, ઉપદેશશ્રવણ કષાયથી સળગતાને શાંત કરે છે. તેવા સત્સંગને સાક્ષાત્ લાભ ન મળે ત્યારે તેમના પુસ્તકનું વાંચન-મનન પણ લાભદાયી છે. ૭ કેટલે વખત સદુપદેશ સાંભળ્યો? સદુપદેશ એ આત્માની આધ્યાત્મિક–પ્રગતિમાં અસાધારણ કારણું છે. હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ કરાવનાર સદુપદેશ છે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy